કહેવાય છે ને સંગીતના કોઇ સીમાડા ન હોઇ અને તે વાત યથાર્થ થતી હોઇ તેવુ બન્યુ છે જેમા રાજકોટના મુસ્લિમ ગાયક કલાકારે પાકિસ્તાની તબલાવાદક સાથે મહાદેવનું ભજન તેયાર કર્યુ છે આગામી દિવસ મા આ ભજન લોન્ચ થશેં ત્યારે બે દેશો વચ્ચે ના સબંધ માટે જે કહેવાતું હોઇ પણ કલાજગતમા મહાદેવજીનુ ભજ્ન અનેરો રાહ ચીંધશે તે ચોક્કસ છે.
કલાને નથી નડતા સીમાડા
સૂર દેશનો, સંગીત વિદેશનું
મુસ્લિમના મુખે મહાદેવની આરાધના
ઉલ્લેખનીય છે કે, રાજકોટના મુસ્લિમ સંગીતકાર અને ગાયક સોહીલ બ્લોચ એ ઓન લાઇન ભજન મા પાકિસ્તાનના તબલાવાદક ની તબલા સંગત લીધી છે. રાજકોટના સંગીતકારના સૂરમાં સમાવેશ થયા પાકિસ્તાની સૂર. ભોલેનાથની આરાધનાઆ મહાદેવનુ આલ્બમ રજૂ થશેં ટૂંક સમયમાં લોન્ચ થવાનું છે. રાજકોટ સોહીલ બ્લોચે આ પૂર્વે જાણીતા ગાયીક અનુરાધા પૉંડવાલ અને ઉષા મૉગેસકર સાથે માં આશાપુરા નુભક્તિગીત ક્પોજીગ કર્યુ છે.
જોગી બનકે ભજન કર્યું તૈયાર
સામાન્ય રીતે ભારત પાકિસ્તાન ના સબંધોહમેશા કડવાશભર્યા રહ્યા છે અને આમાં કેટલાક તક્વાદીઓ તોડવાનું કામ કરતા હોઇ છે પરંતુ કલાકારો અને તેઓની કલામા કાયમી એખલાસ હોઇ છે આવુ જ બન્યુ છે રાજકોટ ના મુસ્લિમ યુવા સંગીતકાર અને ગાયક સોહીલ બ્લોચ અને તેનાપાકિસ્તાન મા રહેતા ફેસબૂક ફ્રેન્ડ તબલાવાદક વાજિદ અલીખાન તાકૂની કલામિત્રતાને લઈ મહાદેવજીનુ ભજન મે તો જોગી બનકેં તેયાર કરાયુ છે રાજકોટ ના આ યુવક ના સૂર અને પાકિસ્તાની તબલાવાદક ના રિધમ થી ભોલેનાથ ની આરાધના સમું આ ભજન લોન્ચ ટૂંક સમય માં થનાર છે ઓન લાઇન આ ભજન મા તબલા નૉ તાલ આપી પાકિસ્તાન ના આ તબલાવાદક એ અનોખી તબલા ની સંગત આપી છે
મેઇલથી ભજનમાં આપ્યો તબલાનો તાલ
રાજકોટ ના આ મુસ્લિમ ગાયક અને સંગીતકાર સોહીલ બ્લોચ કહે છે કેં ભારતના ગાયક અને પાકિસ્તાનના બન્ને મુસ્લિમ યુવાનોએ મહાદેવજી માટે ભજન લોન્ચ કરી રહ્યા છે જ્યારે સોહીલ બ્લોચ એ પણ ઉમેર્યુ કેં જ્યારે મહાદેવનુ આ ભજન કંપોજ કર્યુ ત્યારે તબલાના તાલ અને ભજનના ટ્રેક ની સ્પીડ 13હતી અને ખ્યાતનામ તબલાવાદક વાજિદ અલીખાન તાકૂ ને રિક્વેસ્ટ કરી અને મેઇલથી ભજનમા તબલાનૉ તાલ આપી અનોખી કલાભક્તિ નૉ પરિચય આપ્યો છે જ્યારે પાકિસ્તાની તબલાવાદક કહે છે મજહબ નહિ સીખાતા આપશે વેર રખના ...કહી કલાજગતઅને ધર્મ ની આસ્થા માટે સો સરખાજ છે
અનેક કલાકારો સાથે સોહીલે કર્યું છે કામ
રાજકોટ સોહીલ બ્લૉચ એ આ પહેલા ભક્તકવિ નરસિંહ મહેતા રચિત વેષ્વવજન તો તેને કહીએએ રચના જાણીતા 21કલાકારો સાથે રજૂ કરી સંગીતજગત મા પ્રશંસા મેળવી હતી અને આજ સંગીતકારેકંપોઝ કરેલ માં આશાપૂરાના ભક્તિગીત જાણીતા ગાયિકા અનુરાધા પૉંડવાલ અને ઉષા મોંગેસકર પાસે પણ ગવડાવ્યુ હતુ