રાજકોટ મહાનગર પાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ 10 વર્ષ પહેલા આવાસ યોજનાના મકાનો તૈયાર છે. પરંતુ હજુ સુધી કેમ તે મકાનો લાભાર્થીઓને આપવામાં આવ્યા નથી તે સવાલો ઉભા થયા છે.
રાજકોટમાં મનપા આવાસ યોજનામાં લોલમલોલ
ચૂંટણી નજીક આવતા આવાસ યોજનાના મકાન યાદ આવ્યા
10 વર્ષ અગાઉ બનાવેલા મકાન હજુ સુધી ફાળવાયા નથી
રાજકોટ મહાનગર પાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ 10 વર્ષ પહેલા આવાસ યોજનાના મકાનો તૈયાર છે. પરંતુ હજુ સુધી કેમ તે મકાનો લાભાર્થીઓને આપવામાં આવ્યા નથી તે સવાલો ઉભા થયા છે. મહાનગરપાલિકામાં 5 મનપા કમિશનર બદલાયા હોવા છતા ગરીબોની દયા કોઈએ ખાધી નથી. આ ઉપરાંત વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ શું કરી રહી છે તે પણ સવાલો ઉભા થયા છે.
વિપક્ષને હવે ચૂંટણી નજીક આવતા આ તમામ મુદાઓ દેખાશે પરંતુ આટલા વર્ષથી આ મકાનો કેમ ન ફાળવ્યા તે સવાલ કોણ કરશે?..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લોકોને ઘરનું ઘર આપવાનું સપનું છે પરંતુ ભાજપ શાસિત મનપામાં જ લાભ મળી રહ્યા નથી..આવાસ યોજનાના મકાનમાં બારી બારણા ચોરી ગયા છે ત્યારે હવે મકાન પડી જશે બાદમાં લોકોને ફાળવશે મકાન તેવા સવાલ ઉભા થયા છે.
સળગતા સવાલ
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ?
ગરીબ આવાસ યોજનાના મકાનો કેમ ગરીબોને આપવામાં ન આવ્યા?
લોકોના ટેક્સના પૈસેથી મકાનો બનાવ્યા પણ લાભાર્થીઓ ન મળ્યા?
મનપાના 5 કમિશનરો બદલાયા પણ કેમ મકાનો ન ફાળવ્યા?
કોંગ્રેસ અને ભાજપની મિલીભગતથી ચાલે છે કૌભાંડ?
મનપામાં ભાજપનું શાસન છે તેમણે કેમ ન ફાળવ્યા મકાન?
કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા કેવી રીતે ભજવી રહી છે તે પણ એક સવાલ?
10 વર્ષથી મકાનો તૈયાર છે તો ચૂંટણી સમયે જ કેમ દેખાય છે મકાન?
લોકોને મળનારા આવાસને ખંડેર કેમ બનાવી રહ્યું છે મનપા?
આવાસમાંથી બારી બારણાં ચોરાઈ ગયા હવે શેની રાહ જોવે છે તંત્ર?