રાજકોટ શહેરમાં જ્યાં એકબાજુ સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોતના આંકડાઓ સામે આવી રહ્યાં છે ત્યારે બીજી તરફ શ્વાનના ખસીકરણ મુદ્દે શહેરની મનપામાં ભ્રષ્ટાચાર થયા હોવાનો વિરોધપક્ષ દ્વારા સત્તાપક્ષ પર આક્ષેપ લગાવામાં આવી રહ્યો છે.
RMC સત્તાપક્ષ પર વિરોધ પક્ષનો આરોપ
કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ
રાજકોટ મેયરે તમામ આક્ષેપ નકાર્યા
રાજકોટમાં શ્વાન પર રાજકારણ શરૂ થઇ ગયું છે. શ્વાનના ખસીકરણના મુદ્દે રાજકોટ મનપામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો વિરોધપક્ષ આક્ષેપ લગાવી રહ્યું છે. રાજકોટ મનપાના સત્તા પક્ષો પર કરોડોના કૌભાંડનો આરોપ કર્યો છે.
જો કે બીજી બાજુ સત્તા પક્ષે આક્ષેપ નકારી દીધા છે. રાજકોટ મનપા એક શ્નાનના ખસીકરણ માટે 185 રૂપિયા ખર્ચ કરે છે. જો કે વિરોધપક્ષના નેતા વશરામ સાગઠિયાનું કહેવું છે કે આ માત્ર કાગળ પર જ છે.
આના પૈસાનો વહીવટ થઇ જાય છે. 2015થી 2019 સુધીમાં શ્વાનના ખસીકરણ માટે 4 કરોડથી વધુના રૂપિયા ખર્ચ કર્યા છે. વિરોધપક્ષે આરોપ લગાવ્યો કે રોજ સરેરાશ 8થી 10 લોકોને શ્વાન કરડે છે જો કે તેની સામે શ્વાનખસીકરણની કામગીરી ઓછી છે.
આ મુદ્દે રાજકોટ મેયરે કહ્યું કે શ્વાનની સંખ્યા અંકુશમાં છે અને દર વર્ષે ખસીકરણ યોગ્ય રીતે થાય છે એટલા માટે શ્વાનની સંખ્યા કાબૂમાં રહે છે. આ સાથે જ તેઓએ કહ્યું કે શ્વાનનું ખસીકરણ યોગ્ય રીતે થાય છે.