બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ કમિશનરનો મોટો નિર્ણય, 35 કર્મચારીઓની કરી બદલી
Last Updated: 09:53 PM, 18 June 2024
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 જિંદગીએ પોતાના જીવતા જીવ ગુમાવ્યા છે. ત્યારે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે બધાની વચ્ચે હવે મોડું મોડુ રાજકોટ મહાનગરપિલાકા પણ જાગ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે 35 કર્મચારીઓની આંતરિક બદલી કરી છે. જેમાં ટાઉન પ્લાનિંગ શાખાના મોટાભાગના કર્મચારીઓની બદલી કરાઈ છે
ADVERTISEMENT
મ્યુનિસિપલ કમિશનરે 35 કર્મીઓની બદલી કરી
ADVERTISEMENT
ટાઉન પ્લાનિંગ શાખાના 12 કર્મચારીઓને બદલીના આદેશ અપાયા છે, બાંધકામ વિભાગના 13 કર્મચારીઓની પણ બદલી કરાઈ છે. વોટર વર્ક્સના 7 કર્મચારીઓને પણ બદલીના આદેશ પકડાવવામાં આવ્યા છે
વાંચવા જેવું: પોરબંદરના દરિયા કિનારે મળેલા ચરસના પેકેટ મામલે નોંધાયો ગુનો, પોલીસે માછીમારોને કરી આ અપીલ
25મી જૂને કોંગ્રેસે રાજકોટ બંધ આહ્વાન કર્યું
તો બીજી તરફ કોંગ્રેસે મૃતકોના પરિવારને વળતર આપવાની માગ સાથે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવાની પણ ઉગ્ર માગ કરી છે. ગઈકાલે શહેરના ગાંધી આશ્રમના ગેટ પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં કાર્યક્રમમાં મૃતકોના પરિવારજનો પણ હાજર રહ્યાં હતાં. સાથો સાથ 25મી જૂને રાજકોટ બંધ રાખવાનું કોંગ્રેસે આહ્વાન પણ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT