રાજકોટઃ પ્રભારી સચિવની અધ્યક્ષતમાં કલેકટર અને અન્ય અધિકારીઓની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં પાણીની સમસ્યા સહિતના અન્ય મુદ્દા પર ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠકમાં આવનારા દિવસોમાં પાણીની સ્થિતિને લઈને ખાસ પ્લાન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉનાળામાં રાજકોટ જીલ્લાના ગામડાઓને પાણીની સમસ્યાથી કઈ રીતે બચાવી શકાય? તેના માટે તંત્ર દ્વારા ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
શું છે આ પ્લાન...?
જેમાં અત્યારની સ્થિતિ મુજબ કોઈ ગામડાઓમાં પાણીની સમસ્યાની ફરિયાદ આવી નથી. પરંતુ તંત્રના સર્વે મુજબ અમુક ગામડાઓમાં 15 માર્ચ બાદ પાણીની સમસ્યા સર્જાઈ તેવી સંભાવના જોવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને ટેન્કરોના ભાવો મંજુર કરી દેવામાં આવ્યા છે. અમે અમુક ગામોમાં નાની-મોટી યોજનાઓ માટેની મંજુરી માટે પણ આજે પ્રભારી સચિવને રજુવાત કરવામાં આવી છે.
જળસંકટને પહોંચી વળવા 11 કરોડનું બજેટ
15 માર્ચ બાદ જીલના અમુક ગામોમાં જે પાણીની સ્થિતિ બગડવાની સંભાવના જોવામાં આવી રહી છે. જેને પહોચી વળવા તંત્ર દ્વારા 11 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ગામડાઓમાં પાણી પહોચાડવા 599 જેટલા ટેન્કરો દોડાવવામાં આવશે. સાથે જ અમુક ગામોમાં નાના બોર અને કુવાઓ પણ બનાવવામાં આવશે.
તંત્ર કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ
જે રીતે રાજકોટ જીલ્લામાં હાલ પાણીની સ્થિતિ છે. તેને જોતા આવનારા દિવસોમાં નર્મદાના નીર પણ આધાર રાખવો પડે તેવી શક્યતા છે. તો બીજી તરફ તંત્ર પણ કોઈ પણ પરિસ્થિતિને પહોચી વળવા સક્ષમ હોવાનો દાવો કરી રહ્યું છે. ત્યારે ખરેખર રાજકોટના ગામડાઓમાં પાણીની સ્થિતિ વિકટ ના બને અને આ સ્થિતિને તંત્ર પહોચી વાલે તેવી આશા ગ્રામલોકો પણ રાખી રહ્યા છે.