સૌરાષ્ટ્રમાં વેપારીઓ અને ઉદ્યોગકારો માટે સારા સમાચાર છે. એરપોર્ટ ઑથોરિટી દ્વારા રાજકોટથી મુંબઈ જવા માટે નવી ફ્લાઈટની શરૂઆત કરવામાં આવી છે. આમ હવે ફલાઇટ શરૂ થતાં સવારે મુંબઇ જઇ સાંજે પરત ફરી શકાશે.
સૌરાષ્ટ્રમાં વેપારીઓ અને ઉદ્યોગકારો માટે સારા સમાચાર
સવારે 6.40 વાગે રાજકોટથી મુંબઈની ફ્લાઈટ ઉડાન ભરશે
સાંજે 4.45 વાગે ફ્લાઈટમાં રાજકોટ પરત ફરી શકાશે
વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે સારા સમાચાર
રાજકોટ શહેર તેમજ આસપાસના જિલ્લાઓના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને જો મુંબઇ ખાતે કોઇ કામકાજ હેઠળ જવાનું હોય તો તેઓ હવે સવારે જઇ સાંજે પરત ફરી શકશે. રાજકોટથી શરૂ થયેલી મુંબઇ માટેની નવી ફલાઇટ દ્વારા સવારે મુંબઇ જઇ સાંજે ત્યાંથી રાજકોટ પરત ફરી શકશે. જેમાં વેપારીઓ 10 કલાકમાં મુંબઇ જઇ રાજકોટ પરત ફરી શકાશે.
રાજકોટથી મુંબઇ માટે ફલાઇટ સેવાનો પ્રારંભ
સૌરાષ્ટ્રના વેપારીઓ અને ઉદ્યોગકારો માટે સારા સમાચાર છે. જેમાં રાજકોટથી મુંબઇ જવા માટે નવી ફલાઇટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટથી મુંબઇ માટે સવારે 6.40 કલાકે ફલાઇટ ઉડાન ભરશે. જ્યારે મુંબઇથી સાંજે 4.45 કલાકે રાજકોટ આવવા ઉડાન ભરશે.
10 કલાકમાં મુંબઇથી ફરી શકાશે પરત
સૌરાષ્ટ્રમાં વેપારીઓ અને ઉદ્યોગકારો સહિત પ્રજાની છેલ્લા ઘણા સમયથી રાજકોટથી મુંબઇ સીધી ફલાઇટની માગ હતી. જેને લઇને એરપોર્ટ ઓથોરિટી દ્વારા હવે રાજકોટથી મુંબઇ જવા માટે નવી ફલાઇટ સેવાનો પ્રારંભ કરાયો છે. આમ હવે મુંબઇ માટે સીધી ફલાઇટ સેવા શરૂ થઇ જતાં વેપારીઓ અને ઉદ્યોગકારોને મુંબઇ ખાતેનું કામ પતાવી 10 કલાકમાં રાજકોટ પરત ફરી શકાશે.