રાજ્યમાં હાલ ભાજપના અનેક નેતાઓ કોરોનાને કારણે પથારીએ છે. એક પછી એક ભાજપના નેતાઓમાં કોરોનાના રાફડો ફાટ્યો છે. પરંતુ કોરોનાને કારણે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત વધુ કથળી હોવાનું સામે આવ્યુ છે.
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત વધુ બગડતા તેમને ચેન્નાઈ ખાતે ખસેડવામાં આવી શકે છે. એર એમ્બ્યૂલન્સ મારફતે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને ચેન્નાઈ લઈ જવાશે, જ્યાં અભય ભારદ્વાજની ફેફસાંના નિષ્ણાંત તબીબ સારવાર કરશે.
છેલ્લે મળતી માહિતી પ્રમાણે થોડીવારમાં એર એબ્યુલન્સ મારફતે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને મદ્રાસ લઈ જવામાં આવશે. શુક્રવારે 11 વાગ્યે ચાર્ટડ પ્લેનમાં ચેન્નાઇ લઇ જવાશે, અને ત્યાં ફેફસાના નિષ્ણાંત ડોક્ટર બાલકૃષ્ણ પાસે સારવાર કરાશે.
સુરતથી પણ ડોક્ટર મોકલાયા હતા
15મી સપ્ટેમ્બરના રોજ સુરતના ડો.સમીર ગામી ફેફસાંના નિષ્ણાંત છે. જ્યારે ડો.હિરેન વસતાપરા શ્વાસનળીના સ્પેશિયાલિસ્ટ છે. કોરોના સંક્રમિત થયા બાદ અભય ભારદ્વાજની હાલત નાજુક છે. અભય ભારદ્વાજની ECMOને ટ્રીટમેન્ટ શરૂ કરાઇ હતી.
અમદાવાદથી ડોક્ટર મોકલાયા હતા
અગાઉ 15 સપ્ટેમ્બરના રોજ ચાર્ટર્ડ ફ્લાઈટમાં અમદાવાદથી ત્રણ ડૉક્ટર રાજકોટ પહોંચ્યા હતા. કોરોના એક્સપર્ટ ત્રણ ડૉક્ટર રાજકોટ પહોંચ્યા હતા. કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં પણ રાજકોટ આવી પહોંચ્યા હતા. ત્રણ ડૉક્ટર રાજકોટ મોકલવાનો મુખ્યમંત્રીનો નિર્ણય કર્યો હતો. રાજકોટ હોસ્પિટલમાં ત્રણ ડૉક્ટર અભય ભારદ્વાજની ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા.