રાજકોટ: આજે રાજકોટના વેપારીઓએ માર્કેટયાર્ડ બંધ રાખવાનું એલાન આપ્યું છે. મચ્છરોના ત્રાસથી કંટાળીને વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ માર્કેટયાર્ડમાં છેલ્લા કેટલાક સમયથી મચ્છરોનો સખત ત્રાસ વધી ગયો છે. એ બાબતે વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે. મચ્છરની સમસ્યાથી વેપારીઓ હેરાન-પરેશાન થઇ ગયા છે.
આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાઓનો હલ ન થતાં વેપારીઓએ આજે રાજકોટ માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.