કેબિનેટ મત્રી અને ધારાસભ્યની હાજરીમાં રાજકોટમાં લોધિકા સંઘની ચૂંટણીમાં ભીડ એકઠી થઈ હતી. ત્યારે પ્રશ્ન ઉઠે કે નિયમો નેતાઓ માટે નથી કે શું
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં નિયમોનો ઉડ્યો છેદ
નેતાઓએ ઉડાવ્યો નિયમોનો છેદ
કોવિડના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન
એકબાજૂ કોરોના સંક્રમણનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે તો બીજી બાજુ નેતાઓમાં પણ મહામારીમાં જાગુરૂકતાનો અભાવ જોવા મળી રહ્યો છે. રાજકોટ લોધિકા ચૂંટણીમાં નતાઓઓએ કોવિડ-19ના નિયમો સાઇડમાં મુક્યાના દ્વશ્યો સામે આવ્યા છે. અહીં ચેરમેનની નિમણુંક બાદ નેતાની હાજરીમાં ભીડ જામતી જોવા મળી હતી.
નેતાઓ જ સરેઆમ કોવિડના નિયમોનો છેદ ઉડાતતો જોવા મળી રહયાં છે. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા , ધારાસભ્ય અરવિંદ રૈયાણીની હાજરીમાં સામાજિક અંતરના નિયમોનું ઉલ્લંઘન થયું હતું.સામાન્ય લોકો માટે માટે નિયમો બનાવનાર નેતાઓ જ કેમ ભાન ભૂલી જાય છે તે અહીં સવાલ થવો સ્વાભાવિક છે. કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરતા આ નેતાઓ ક્યારે દંડાશે?