પરેશાની / રાજકોટમાં લોકડાઉનમાં તમાકુ અને માવાની બેફામ કાળા બજારી, તંત્ર ઊંઘમાં - વ્યસનીયો પીસાયા

rajkot lockdown pan masala gujarat saurashtra

ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. જેને લઇને રાજ્યમાં લોકડાઉન 3 લાગુ કરવામાં આવ્યું છે. લૉકડાઉન 3ને લઈને રાજ્ય સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જો કે રાજ્યમાં કોરોનાને લઇને પરિસ્થિતિ વધુ વણસતાં સરકાર દ્વારા લોકડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ લોકડાઉનની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના પાન-માવાના બંધાણીઓ પર જોવા મળી રહી છે. પાન-મસાલાની દુકાનો બંધ રહેવાને લઇને વેપારીઓ હાલમાં તમાકુ, સોપારી અને પાન-મસાલાની બેફામ કાળા બજારી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ