દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. જેને લઇને દેશમાં લોકડાઉન 3.0 લાગુ કરવામાં આવ્યું છે. જે આગામી 17 તારીખ સુધી લાગુ પડશે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન 3.0 માં કેટલીક છૂટછાટ સાથે રાહત આપવામાં આવી છે. જેમાં ગુજરાત માટે સૌથી અગત્યનું માનવામાં આવતું હોય તો તે પાન-માવા પર પ્રતિબંધમાં રાહતને લઇને છે. જો કે રાજકોટ શહેરમાં પાન-માવો ખાનાર સામે પોલીસ કાર્યવાહી કરશે તેવો સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો થયો છે. જેને લઇને પોલીસ કમિશ્નર દ્વારા આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવી છે.
રાજકોટમાં પાન-મસાલા ખાનાર સામે પોલીસ કાર્યવાહીનો મેસેજ વાયરલ
વાયરલ મેસેજ મામલે પોલીસ કમિશનરની સ્પષ્ટતા
પાન મસાલા ખાનાર વ્યક્તિ સામે નથી થઇ કાર્યવાહી
રાજકોટ શહેરમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં પાન-માવા ખાનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. જેને લઇને શહેરના લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું. જો કે સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ મામલો પોલીસ કમિશનરે સ્પષ્ટતા કરી છે.
રાજકોટમાં પાન-મસાલા ખાનાર સામે પોલીસ કાર્યવાહીનો મેસેજ વાયરલ થયો હતો. આ વાયરલ મેસેજ મામલે પોલીસ કમિશનરે સ્પષ્ટતા કરી છે કે પાન મસાલા ખાનાર વ્યક્તિ સામે કાર્યવાહી થઇ નથી.
સરકારની ગાઈડ લાઈન મુજબ પાન-મસાલા વહેંચનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. લોકડાઉનમાં જાહેરમાં પાન-મસાલા વહેંચવા ગુનો બને છે અને પાન-મસાલા ખાઈને જાહેરમાં થૂંકવા પર દંડની કાર્યવાહી છે.