રાજકોટના જેતપુર યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે. ત્યારે શ્રમિકોને કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા ન ચૂકવાતા હડતાળ પર ઉતર્યા છે. શ્રમિકોએ મગફળીનું ટોલ ભરાઈ અને બારદાન ઉપાડવાનો ઈનકાર કરી દીધો છે.
તો બીજી તરફ મગફળી વેચવા આવેલા ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અંદાજે 70 જેટલા શ્રમિકોને મજૂરી ન મળતાં હડતાળ પર ઉતર્યા છે. તો પેટા કોન્ટ્રાક્ટર પણ મુખ્ય કોન્ટ્રાક્ટર રૂપિયા ન આપતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
સરકારી મગફળી ખરીદી અને મગફળી ડેપો મેનેજર મજૂરો ની હડતાલ બાબતે ગોળગોળ ફરી રહ્યા હતા. તેઓ આ બાબતે મીડિયાને અને આમ પ્રજાને ગુમરાહ કરતા હોવાનું સ્થાપિત થતું હતું ને તેવો આ સમગ્ર મામલામાં સામેલ હોય તેવુ નિવેદન આપી રહ્યા હતા અને વારંવાર નિવેદન બદલતા હતા. તેવોના મત મુજબ મજૂરોનો મજૂરીનો પ્રશ્ન હલ થયેલ છે ને કામગીરી ફરી શરૂ થયેલ છે.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ટેકાના ભાવ ની મગફળી ની ખરીદી છેલ્લા 15 દિવસ થી શરૂ થઈ ચુકી છે અને તેનું ભરાય જોખ સાથેનું તમામ મજૂરી કામ યોગ્ય રીતે ચાલી રહેલ હતું.
પરંતુ મજૂરોને સમયસર મજૂરીના પૈસા નહીં ચૂકવતા આજે અહીં આ કામગીરી માટેની કામ અને મજૂરી કામ કાજ બંધ કરેલ હતું. જેના પરિણામે સરકાર દ્વારા ટેકા ની મગફળી ની ખરીદી બંધ થયેલ હતી.