રાજકોટ / જેતપુર સાડી ઉદ્યોગ પર મંદીની અસર, મજૂરો પર બેકારીનો તોળાઇ રહ્યો છે ખતરો

rajkot jetpur saree market recession

સમગ્ર વિશ્વમાં ધીમા પગલે આવી રહેલી મંદીની અસર જેતપુરના સાડી ઉદ્યોગ પર જણાઈ રહી છે. છેલ્લા બે વર્ષથી સુસ્ત બની ગયેલા જેતપુર સાડી ઉદ્યોગને હવે વૈશ્વિક મંદીનો નવો માર સહન કરવાનો વખત આવ્યો છે. છેલ્લાં બે વર્ષમાં સાડી ઉદ્યોગમાં ટર્ન ઓવર ઘટીને છેક 50 % એ પહોંચી ગયું છે. જેના કારણે સાડી ઉદ્યોગ આધારિત મજૂરો પર બેકારીનો ભય તોળાઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ