રાજકોટના જેતપુર ખાતે ખેડૂતો દ્વારા ભાદર-1 ડેમ મુદ્દે અનોખો વિરોધ કરવામાં આવશે. જેમાં ખેડૂતો ભાદર ડેમની કેનાલ પર રાસ ગરબા તેમજ રામધૂન કરી સરકારને જગાડવાનો પ્રયાસ કરશે.
જેતપુરમાં આજે ખેડૂતો દ્વારા ભાદર-1 ડેમ મુદ્દે વિરોધ દર્શાવવામાં આવશે. જેમાં ખેડૂતો ભાદર ડેમની કેનાલમાં રાસ-ગરબા રમીને વિરોધ નોંધાવશે. તેમજ ખેડૂતો રામધૂન કરીને સરકારને જગડાવાનો પ્રયાસ કરશે.
ભાદર-1 ડેમ પર આ કારણોસર કરશે વિરોધ
ખેડૂતો દ્વારા સરકાર વિરુધ્ધ ભાદર-1 ડેમ મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં ખેડૂતો પિયત માટે પાણી ન રખાતા ખેડૂતો વિરોધ નોંધાવશે. જેમાં ખેડૂતો દ્વારા ડેમનું પાણી પિયત માટે રાખવાની માગ કરવામાં આવી છે.
ભાદર-1 ડેમના પાણીને લઇને ખેડૂતોની આ માગ
જેતપુર ખાતેના આજે ખેડૂતો દ્વારા ભાદર ડેમની કેનાલમાં રાસ-ગરબા તેમજ રામધૂન કરી પોતાની માગને લઇને સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે. હાલમાં બાદર-1 ડેમમાંતી 47 જેટલા ગામને પાણી આપવામાં આવે છે. ખેડૂતોની માગ કરી રહ્યાં છે કે ડેમમાંથી રાજકોટને અપાતું પાણી બંધ કરવું જોઇએ.