રાજકોટમાં જેતપુરમાં શિક્ષણ વિભાગની લોલમલોલ સામે આવી છે. જેતપુરમાં શિક્ષણ વિભાગની ખૂબ મોટી ગરબડ સામે આવી છે. ધોરણ 12ના 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. 150 જેટલી શાળાઓને ધોરણ 12ની મંજૂરી મળી નથી. જેને કારણે વિદ્યાર્થીઓને બોર્ડની પરિક્ષા આપવા માટે મુશ્કેલી થઈ છે.
ગયા વર્ષે શિક્ષણ બોર્ડે એક વર્ષ માટે શરતી પરીક્ષા લીધી હતી
શિક્ષણ વિભાગ 8000થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહી છે. ધોરણ 11ને શરતી મંજૂરી આપી દીધી હતી પણ ધોરણ 12ને મંજૂરી ન મળતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગયા વર્ષે પણ બોર્ડે એક વર્ષની શરતી મંજૂરી આપી હતી જે ફરીથી દોહરાવી પડે તેવી પરિસ્થિત સર્જાઈ છે.
શું છે મામલો
જેતપુરમાં શિક્ષણ વિભાગની લાલીયાવાડી સામે આવી છે. ધોરણ 12ના અંદાજિત 8 હજાર વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. 150 જેટલી શાળાઓને ધોરણ 12ની મંજૂરી મળી નથી. આ મામલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. સરકાર તાત્કાલિક ધોરણ 12ની મંજૂરી આપે તેવી રજૂઆત કરી છે.
ધોરણ 11ને મળી હતી મંજૂરી
ગયા વર્ષે શિક્ષણ બોર્ડે એક વર્ષ માટે શરતી પરીક્ષા લીધી હતી. સરકારે 150 જેટલી શાળાઓને ધોરણ 11ની મંજૂરી આપી હતી. જૂન 2017 અને 2018માં ધોરણ 11ની મંજૂરી આપી હતી. ધોરણ 12ની મંજૂરી ન હોવાથી વિદ્યાર્થીઓ અટવાયા છે. મંજૂરી વગર ચાલતી શાળાઓના વિદ્યાર્થીઓ અનેક લાભથી વંચિત છે. ધોરણ-12ની પરીક્ષા અને શિષ્યવૃતિથી વિદ્યાર્થીઓ વંચીત છે. ત્યારે આ વર્ષે તેમને પરીક્ષા આપવા મળશે કે નહીં તે માટે પણ હવે ફાંફા છે.