રાજકોટમાં રેલવે બેંકનું ભરતી કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટન જે.સી.સી.એસ બેંકમાં ભરતી કૌભાંડ સામે આવ્યું છે. શેર હોલ્ડર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે રેલવે બેંકમાં ગેરકાયદેસર રીતે ભરતી કરવામાં આવી છે. જે બાદ શેર હોલ્ડરે બેંકના જનરલ મેનેજરને પણ ફરીયાદ કરી છે.
શેર હોલ્ડરે આરોપ લગાવ્યો છે કે, બેંકના ડિરેક્ટર્સે તેમના સગા સંબંધીઓને નોકરી આપી છે. 23 વ્યક્તિઓને ક્લાર્ક અને પ્યૂન પદ પર ભરતી કરવામાં આવી છે. એવો પણ આરોપ છે કે ના કોઈ જાહેરાત કે ના કોઈ પરીક્ષા લીધા વગર જ આ ભરતી કરવામાં આવી છે. શેર હોલ્ડરે એવો પણ આરોપ લગાવ્યો છે કે બેંકના ચીફ મેનેજર દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે.