ગુજરાતના રાજકોટમાં હાલ સુધી કોરોનાના કુલ 10 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ગુજરાતમાં કુલ 87 નોંધાયા છે. આ સાથે જ કોરોના દર્દીઓની સારવાર માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસના ભાગરૂપે ગુજરાતના રાજકોટમાં હવે કોરોના દર્દીઓની સારવાર માટે રેલવેએ નવો પ્રયોગ શરૂ કર્યો છે. અહીં ટ્રેનના કોચને આઈસોલેશન વોર્ડમાં ફેરવવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ પશ્ચિમ રેલવેએ રાજકોટ મંડળે 20 વર્ષથી વધુ જૂની નોન એસી કોચને આઈસોલેશન વોર્ડમાં બદલવાની તૈયારીઓ શરૂ કરી છે. આ કોચને કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવશે.
ગુજરાતમાં વધી રહ્યું છે કોરોનાનું પ્રમાણ
કુલ 87 કેસ થતાં રેલવેએ લીધો આ નિર્ણય
ટ્રેનના કોચમાં તૈયાર થશે આઈસોલેશન વોર્ડ, હશે તમામ સુવિધાઓ
આ રીતે કોચને આઈસોલેશન વોર્ડમાં ફેરવાશે
મિડલ બર્થને કાઢીને કોચના દરેક કંપાર્ટમેન્ટને હોસ્પિટલના પ્રાઈવેટ રૂમની જેમ તૈયાર કરાશે. ડોક્ટર્સના સૂચન અનુસાર કોચમાં પણ ફેરફાર કરાશે.
કોચમાં સારવાર માટેના મશીનો લગાવવામાં આવશે.
કોચના એક ટોઈલેટને બાથરૂમના રૂપમાં ફેરવવામાં આવશે.
બાથરૂમમાં ડોલ, ટમ્બલર અને પાટિયા રાખવામાં આવશે.
બારીમાં મચ્છરથી બચવા મચ્છરદાનીઓ લગાવવામાં આવશે.
કોરોનાનું સંક્રમણ રોકવા કોચની બારીઓ પર પ્લાસ્ટિકના પડદા લગાવાશે.
દરેક કોચમમાં 6થી 7 કોરોના દર્દીની સારવાર થઈ શકશે.
હાલમાં રાજકોટમાં આ આઈસોલેશન વોર્ડને તૈયાર કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રેલ કર્મીઓ દ્વારા આ કામ પણ ઝડપથી પૂર્ણ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.