કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ ખાતે ઇંજેકશન કૌભાંડો સામે આવી રહ્યાં છે. શહેરમાં પહેલા રેમડિસીવર અને ત્યારબાદ આજે કોવીફોર ઇંજેકશન કૌભાંડ સામે આવ્યું હતું. જો કે આજે બીજા ઇંજેકશન કૌભાડ સામે આવતા રેમડિસીવર ઇંજેકશનની કાળાબજારી સામે તપાસનો ધમધમાટ શરૂ થઇ ઘયો છે.
રાજકોટમાં રેમડિસીવર ઇન્જેક્શન કાળાબજારી મામલો
રાજકોટમાં IAS અધિકારી રાહુલ ગુપ્તાનું નિવેદન
ઇન્જેક્શન કાળાબજારી મમાલે પોલીસે ગુનો દાખલ કર્યો છે
રાજકોટમાં આજે સામે આવેલા કોવીફોર ઇંજેકશન કૌભાંડ બાદ અગાઉ થયેલા રેમડિસીવર ઇંજેકશનની કાળાબજારી સામે તપાસનો ધમધમાટ ફરી તેજ જોવા મળ્યો છે.
રાજકોટના નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ઇંજેકશનની કાળા બજારીને લઇને પોલીસે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરાઇ રહી છે. રાહુલ ગુપ્તાએ વધુમાં કહ્યું કે જો કૌભાંડમાં કોઇપણ સરકારી કર્મચારીની સંડોવણી હશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે.
રાજકોટના રેમડિસીવર ઇંજેકશનના કાળાબજારી મામલે કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાજકોટ સિવિના સ્ટોરમાં કાળાબજારીનો પાયો નખાયો છે. અનેક મોટા માથાઓની કાળાબજારીમાં હોઇ
ઉલ્લેખનીય છે કે આજરોજ શહેરમાં રેમડિસીવર બાદ કોવીફોર ઇંજેકશન કૌભાંડ સામે આવ્યું હતું. જેને લઇને ક્રાઇમ બ્રાંચે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાં થીયોસ ફાર્માસ્યૂટિકના સંચાલક સચિન પટેલ અને ઝાયડસ સૌરાષ્ટ્ર ઝોનના MR રજનીકાંત ફળદુની અટકાયત કરવામાં આવી છે.
જેમાં થીયોસ ફાર્માસ્યુટિકલે 110 ઇંજેકશનના 4.54 લાખના ખોટા બિલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં રજૂ કર્યાં હતા. આ અગાઉ રેમડેસીવર ઇંજેકશન કૌભાંડમાં 5 ઝડપાયા હતા.