રાજકોટ IMAના પ્રમુખ ડો.પ્રફુલ કમાણીએ કહ્યું કે કોરોના વાયરસની લહેર દરિયાના મોજાની જેમ આવે છે.
રાજકોટ IMAના પ્રમુખની ચેતવણી
"ત્રીજી લહેર આવવાની પૂરેપૂરી શક્યતા"
"2022 સુધી લોકો માસ્ક જરૂરી પહેરે"
ત્રીજી લહેર આવવાની પૂરેપૂરી શક્યતાઓ છેઃ કમાણી
ગુજરાત સહિત આખા દેશમાં મહારાષ્ટ્ર અને કેરળને છોડીને લગભગ દરેક રાજ્યમાં કોરોના વાયરસને લઈને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ખૂબ ઓછા થઈ ગયા છે પરંતુ લોકો ફરીથી બેદરકાર થઈ જવાના કારણે સરકાર તથા વૈજ્ઞાનિકો દ્વારા ત્રીજી લહેરને લઈને અલર્ટ આપવામાં આવી રહ્યું છે. પીએમ મોદી પણ લોકોની બેદરકારીથી નારાજ છે ત્યારે રાજકોટ IMAના નિષ્ણાત ડૉક્ટરે ત્રીજી લહેરને લઈને મોટું નિવેદન આપ્યું છે.
દરિયામાં મોજા આવે છે તેમ ત્રીજી લહેર આવશેઃ કમાણી
રાજકોટ IMAના પ્રમુખ ડો.પ્રફુલ કમાણીએ કહ્યું કે કોરોના વાયરસની લહેર દરિયાના મોજાની જેમ આવે છે. જો ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરી દેવામાં આવશે તો સપ્ટેમ્બર ઑક્ટરોબરમાં જ ત્રીજી લહેર આવવાની પૂરી શક્યતા છે. તેમણે કહ્યું કે ત્રીજી લહેર આવશે તો તેમાં બાળકો સૌથી વધારે સંક્રમિત થશે. મૃત્યુદર ઊંચો નહીં હોય પરંતુ સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાશે. માત્ર એક બાળકને ચેપ લાગ્યો તો આખી આખી સોસાયટીને તે ચેપ લાગશે. કમાણીએ વધુમાં કહ્યું કે વાયરસ બધી જગ્યાએ હશે, માસ્ક 2022 સુધી કોઈએ ન કાઢવા જોઈએ. ખાસ કરીને ખોટા મેળાવડા ન કરવા જોઈએ. તથા દરેક માતા પિતાએ બાળકનું ધ્યાન રાખવાની જરૂર છે.
નોંધનીય છે કે દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસના કેસ ફરીથી વધી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના દુશ્મન દેશ પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસની ચોથી લહેર આવી છે અને મહામારી કહેર મચાવી રહી છે ત્યારે સરકાર પણ આ વખતે કોરોના વાયરસની ત્રીજી લહેર આવે તે પહેલા સતર્ક થઈ છે. જોકે બીજી બાજુ સરકાર દ્વારા છૂટછાટ પણ વધારવામાં આવી છે.