રાજકોટ: શહેરમાં રોગચાળાએ માથુ ઉંચકતા આરોગ્ય વિભાગ જાગ્યું છે. આરોગ્ય વિભાગના સતત ત્રીજા દિવસે શહેરની સરકારી કચેરીઓમાં દરોડા હાથ ધરાયા છે. મહાનગરપાલિકાની આરોગ્ય ટીમે સરકારી કચેરીઓમાં ચેકિંગ હાથ ધર્યુ છે.
ઉલ્લેખનીય છે કે ચેકિંગ દરમિયાન સરકારી કચેરીઓમાં મચ્છરના બ્રિડીંગ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સોમવારે આરોગ્ય વિભાગે દરોડા હાથ ધરતા જૂની કલેકટર ઓફિસ જિલ્લા પંચાયત સહિતની કચેરીઓમાંથી ડેન્ગ્યુના મચ્છરના પોરા મળ્યા હતા. બીજી તરફ સ્વાઈનફલૂએ પણ માઝા મુકી છે. વધુ એક સ્વાઈનફલૂનો કેસ નોંધાયો છે અને સિવિલ હોસ્પિટલમાં સ્વાઈનફલૂના ચાર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
આપને જણાવી દઇએ કે વરસાદ પ્રમાણમાં નહિંવત પડ્યો હોવા છતાં પાણીજન્ય રોગોને વધારો થયો છે. ત્યારે રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી યુદ્ધના ધોરણે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી આરોગ્ય વિભાગના વિવિધ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવતા રાજકોટની જૂની કલેકટર ઓફિસ જિલ્લા પંચાયત સહિતની કચેરીઓમાંથી ડેન્ગ્યુના મચ્છરના પોરા મળી આવતા તંત્ર સાવધ થયું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ડેન્ગ્યુના લક્ષણો
ડેન્ગ્યુના લક્ષણોમાં તાવ આવવો માથુ દુઃખે સ્નાયુ-સાંધા અને હાડકાનો સતત દુઃખાવો થવો. કળતર થવી ઓરી નીકળે ત્યારે શરીર ઉપર લાલ ચાઠા (રેશ) થાય.
આરામ અને સામાન્ય લક્ષણોની સારવારથી મોટે ભાગે મટી જાય પણ કેટલાકમાં 'ડેન્ગ્યુ હેમરેજીક ફિવર' થાય તે ખતરનાક પરિસ્થિતિ છે. આ તમામ લક્ષણો જણાય તો વ્યક્તિએ તાત્કાલિક અસરથી નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઇએ.