કમોસમી વરસાદથી રોગચાળાએ માઝા મૂકી છે અને સરકારી અધિકારીઓના દિવાળી વેકેશન હજુ પુરા નથી થતા. ફરજ પર હાજર થવા માટે રાજકોટમાં તંત્રએ ઓફિસરોને કાયદેસર નોટીસ ફટકારવી પડી છે. એક દર્દીનું ડેંગીથી મોત થઈ ચુક્યુ છે છતાંય હજુ અધિકારીઓની દિવાળી વેકેશન ખતમ નથી થઈ રહ્યુ.
દિવાળીના વેકેશન પર અધિકારીઓ
રજા બાદ પણ ઓફિસમાં નથી અધિકારી
ત્રણ ડૉક્ટરને તંત્રએ આપી છે નોટિસ
રાજકોટ શહેરમાં દિવસે દિવસે રોગચાળો વકરી રહ્યો છે. રોગચાળો વકર્યો હોવા છતા અધિકારીઓ ઓફિસમાં હાજર નથી. આરોગ્ય વિભાગના અધિકારીઓ હજુ પણ દિવાળી વેકેશન પર છે.
કોને કોને ફટકારાઈ છે નોટીસ
દિવાળીની રજાઓ પૂર્ણ થયા બાદ પણ હજુ સુધી અધિકારીઓ રજા પર છે. ઓફિસમાં હાજર થવા માટે તંત્ર દ્વારા ત્રણ અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે. ડૉક્ટર રાઠોડ, ડૉક્ટર ચુનારા, ડૉક્ટર પંચાલને હાજર થવા માટે નોટિસ અપાઈ છે. છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યૂના 99 કેસ નોંધાયા છે. ડેંગીના કારણે એક દર્દીનું મોત પણ નિપજ્યુ છે. તેમ છતા તંત્ર ઉંઘમાં હોય તેવુ લાગી રહ્યુ છે.
કમોસમી ઋતુ બાદ રાજકોટમાં રોગચાળો વકર્યો
એક સપ્તાહમાં તાવ, શરદી અને ઉધરસના 321 કેસ નોંધાયા છે. છેલ્લા 7 દિવસમાં ઝાડા-ઉલટીના 328 કેસ નોંધાયા હતા. ડેંગીના 99 કેસ, તાવના 42, મેલેરીયાના 2 કેસ નોંધાયા છે.