જેતપુર પોલીસની વધુ એક દાદાગીરીની ઘટના સામે આવી છે. 4 દિવસ બાદ ફરી એક વ્યક્તિને માર મારવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત માટે પોલીસ સ્ટેશને એમ્બ્યુલન્સ બોલાવી પડી હતી.
4 દિવસ બાદ ફરી એક વ્યક્તિને માર્યો માર
ઇજાગ્રસ્ત માટે પોલીસ સ્ટેશને બોલાવી પડી એમ્બ્યુલન્સ
નગરપાલિકાના પ્રમુખના પરિવારજનને માર્યો માર
નગરપાલિકાના પ્રમુખના પરિવારજનને માર મારવાની ઘટના સામે આવી છે. મનીષ સખરેલીયા નામના વ્યક્તિને પોલીસે ઢોર માર માર્યો હતો. ડોકટરો સાથે બોલાચાલી કરવા મામલે પોલીસે આ પગલું લીધુ હતું. ગુસ્સે થયેલા પોલીસે યુવાનને બેલ્ટથી એવો ધીબેડી નાંખ્યો કે યુવક બેભાન થઈ પડ્યો અને તુંરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.
કોરોનાની સારવાર લઈ રહ્યો હતો દર્દી
મનીષ છેલ્લા ઘણા સમયથી કોરોનાની સારવાર લઈ રહ્યો હતો. આજે જ મનિષને હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ કરાયો હતો, કોવિડ કેર સેન્ટર માંથી જ પોલીસે મનિષની અટકાયત કરવામાં આવી હતી.
ઇન્ચાર્જ PI વસાવાએ માંગેલા રૂ.5 લાખ નહી આપતા માર માર્યાનો પરીવારજનો દ્વારા આક્ષેપ થઈ રહ્યો છે. રૂપિયા ન આપે તો ફૂલેકુ કાઢવાની પણ ધમકી આપી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. મનીષને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં રીફર કરાયો છે. 4 દિવસ અગાઉ જુગાર રમવા મામલે પણ શખ્સને માર્યો હતો જેને લલિત અઢીયા નામના શખ્સને પણ રાજકોટ હોસ્પિટલ ખસેડ્યો હતો.