રાજકોટઃ આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે. અત્યાર સુધી 1 લાખ 49 હજાર ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે રાજ્યમાં 122 ખરીદ કેન્દ્રો પરથી સરકાર ખરીદી રહી છે. એક ખેડૂતદીઠ 2500 કિલો મગફળીની ખરીદી કરવામાં આવશે તો આ સાથે જ ખેડૂતની માગ સામે સરકાર ઝૂકી છે. બોરીમાં 35ને બદલે 30 કિલો મગફળીની ભરતી હશે તો પણ સ્વીકારવાની સરકારે જાહેરાત કરી છે. આ નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવાયો છે.
આ સાથે જ તમામ ગુણીના બદલે 5 ગુણી મગફળીનું ચેકિંગ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાયો છે. મગફળીમાં 2 ટકા સુધી કચરો હશે તો માલ સ્વીકારવામાં આવશે. ઉલ્લેખનિય છે કે 1 નવેમ્બરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થયું હતું.
રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોનો હોબાળો
મગફળીની ખરીદી શરૂ ન થતા ખેડૂતોએ હાઈવે ચક્કાજામ કર્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો હાઈવે પર ઉભા રહી ગયા હતા. વહેલી સવારથી ખરીદી માટે લાઇનમાં ઉભા હતા.
રાહુલ ગુપ્તા દ્વારા મગફળીનુ નીરીક્ષણ કરાયુ
રાજકોટમાં ખેડૂતો દ્વારા હોબાળો થયા બાદ રાજકોટ કલેક્ટર રાહુલ ગુપ્તા માર્કેટિંગ યાર્ડ પહોચ્યા હતાં. ત્યા તેમણે મગફળીનુ નીરીક્ષણ કર્યુ હતું. ગુણ દીઠ ભરતી મુદ્દે કલેક્ટરે તપાસ કરી હતી.
રાજકોટમાં યાર્ડના ચેરમેને ડી કે સખીયાનુ નિવેદન
સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા 35 કિલોની ભરતીનું માપ રાખવામાં આવ્યુ હતુ. જેના કારણે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો દ્વારા વિરોધ કરાતા સરકાર ઝુકી છે. કેન્દ્ર દ્વારા 30 કિલોની ભરતી સાથે ટેકાના ભાવે ખરીદી કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ તમામ ગુણીઓની જગ્યાએ તંત્ર દ્વારા માત્ર 5 ગુણીઓનું જ ચેકિંગ કરવામાં આવશે. ત્યારે હવે રાજકોટમાં 12 વાગ્યા સુધી મગફળીની સેમ્પ્લ લેવામાં આવશે.
મહત્વનુ છે કે સરકાર દ્વારા આજથી ખરીદીની જાહેરાત કરવામાં આવી હતી. જોકે સરકાર દ્વારા ભરીતીનુ માપ 35 કિલો રાખવામાં આવ્યુ. 35 કિલો માપના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવત. જેના કારણે ખેડૂતોએ વિરોધ કર્યો હતો.