રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ સુરેન્દ્રનગર, હળવદ બાદ હવે રાજકોટમાં પણ આવકમાં વધારો જોવા મળતાં આવક બંધ કરવામાં આવી છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ
મગફળીની ખરીદી વધુ થતા હાલ આવક બંધ કરાઈ
સુરેન્દ્રનગર, હળવદ બાદ રાજકોટથી પણ વધી આવક
માર્કેટિંગ યાર્ડમાં 30થી 35 હજાર ગુણીની આવક
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજની 30થી 35 હજાર મગફળીની ગુણીની આવક જોવા મળી રહી છે. જ્યારે 20થી 22 હજાર મગફળી ગુણીનું વેચાણ કરવામાં આવી છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આ કારણોસર આવક બંધ કરાઇ
રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં રોજની અંદાજે 30થી 35 હજાર જેટલી મગફળીની ગુણીઓની આવક છે જ્યારે 20થી 22 હજાર જેટલી ગુણીઓનું દરરોજ વેચાણ થાય છે. આમ મગફળીના સંગ્રહની જગ્યા ન મળે ત્યાં સુદી આવક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અન્ન અને પુરવઠા વિભાગ 1 નવેમ્બરથી શરૂ કરશે ખરીદી
અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા 1 નવેમ્બરથી રાજ્યભરમાં મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા 1 નવેમ્બરથી 30 જાન્યુઆરી 2020 સુધી મગફળીની ખરીદી કરવામાં આવશે.