સરકારી રાશનની દુકાનોનું કૌભાંડ એ કંઈ આજકાલનું નથી. હજારો ટન અનાજ લોકો સુધી પહોંચવાને બદલે બારોબાર વેપારીઓ સુધી પહોંચી જાય છે. સસ્તા અનાજની દુકાનોને નામે ચાલતા કૌભાંડ સામે તંત્રની પણ જાણે રહેમ નજર છે. પણ એવું કહેવામાં આવે છે.
રાજકોટ સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડ
4 દુકાનોમાં કલેક્ટરના દરોડા
બારોબાર અનાજ વેચવાનો ઘટસ્ફોટ
રાજકોટમાં સસ્તા અનાજની વધુ 4 દુકાનોમાં કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ફિંગર લીધા વિના જ બારોબાર અનાજ વેચવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે કૌભાંડ સામે આવતા 4 દુકાનોના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અગાઉ 2 દિવસ પહેલા પણ બજરંગ વાડી વિસ્તારમાંથી કૌભાંડ ઝડપાયું હતું. ત્યારે ફરી એક વખત 4 દુકાનમાં અનાજ સગેવગે કરવાનું સામે આવતા હજુ મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. જેને લઇ કલેક્ટર અને પુરવઠા વિભાગ દ્વારા તપાસ ચાલું કરાઇ છે.
સળગતા સવાલ
કેટલા સમયથી ચાલે છે સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડ?