રાજકોટ પંથકમાં પ્રેમી સાથે એકાંત માણી રહેલી સગીરા પર ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાસમાં આવતા હડકંપ મચી જવા પામ્યો છે.
ત્રણેય હેવાનોએ સગીરાને બનાવી હવસનો શિકાર
ત્રણેય શખ્સોએ યુવક સાથે મારઝૂડ કરી
સગીરાને 300 મીટર દૂર ઢસડી જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યું
રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક સગીરા ત્રણ હેવાનોની વાસનાનો ભોગ બની હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. ગોંડલના ઉમરાળા રોડ પર એકાંત માળી રહેલા પ્રેમી યુગલ પર ત્રણ જેટલા શખ્સોની નજર પડી હતી. જે બાદમાં ત્રણેય હેવાનોએ પોતાની કામવાસના સંતોષવા માટે સગીરાને પોતાનો શિકાર બનાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ ત્રણેયએ તેના પ્રેમીને છરીની અણીએ બાનમાં રાખ્યો હતો અને સગીરા પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. સમગ્ર મામલાની જાણ ગોંડલ પોલીસને થતાં તાત્કાલિક અસરથી ગોંડલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
ત્રણેય શખ્સોએ યુવક સાથે મારઝૂડ કરી
રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક સગીરા ત્રણ હેવાનોની વાસનાનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર ગોંડલના ચોરડી દરવાજા પાસે રહેતો પ્રતીક પિત્રોડા નામનો યુવાન પોતાની સગીર વયની પ્રેમિકા સાથે ઉમરાળા રોડ પર એકાંત માણી રહ્યો હતો. આ સમયે અજય નાથ, દિનેશ નાથ તેમજ મુકેશ નાથ સહિતના ત્રણ શખ્સો મોટર સાઇકલ પર સવાર થઈને નીકળ્યા હતા. પ્રેમી યુવલ કંઇ સમજે તે પૂર્વે જ ત્રણેય શખ્સોએ યુવક સાથે મારઝૂડ કરી હતી.
યુવાનને છરીની અણીએ બાનમાં રાખ્યો
ત્રણેયએ યુવકને છરીની અણીએ ગોંધી રાખ્યો હતો અને ત્યાર બાદ સગીરાને 300 મીટર દૂર ઢસડી જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. સમાજમાં આબરૂ જવાની બીકે તેમજ નામ જાહેર થશે તેમજ બદનામી થશે તેવા ડરથી તરુણી તેમજ તેના પરિવારજનો પોલીસ ફરિયાદ કરવા માગતા ન હતા. જોકે, પોલીસે સમજાવ્યા બાદ તરૂણીના પરિવારે ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદમાં પોલીસે તાત્કાલિક અસરથી ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી હતી
ગોંડલ સિટી પોલિસે ત્રણ નરાધમોની ધરપકડ કરી
સમગ્ર ઘટનામાં યુવકે હિંમત ન હારતાં ગોંડલ સિટી પોલીસને જાણ કરી હતી. યુવાને પોલીસને જાણ કરતાની સાથે જ પોલીસે ત્રણેય શખ્સોને ઉમરાળા રોડ પાસેથી ઝડપી લઇ ધરપકડ સહિતની કાર્યવાહી કરી હતી. આ ઘટના પરથી સમાજ અને પ્રેમી યુગલોએ પણ બોધપાઠ લેવાની જરૂર છે. કારણ કે પ્રેમી યુગલો અનેક વખત એકાંત માણવા માટે અવાવરું જગ્યાઓ પર જતા હોય છે. આ જ કારણે ક્યારે લૂંટ અને બળાત્કારની ઘટનાઓ બનતી હોય છે.