સવાલ / રાજકોટમાં વાઇફાઇમાં હાઇફાઇ ભ્રષ્ટાચારનો આક્ષેપ, શા માટે નથી આપવામાં આવતી વિગતો?

Rajkot free WiFi scam allegation Congress

રંગીલા રાજકોટના રંગીલા વાઈફાઈમાં શું ભ્રષ્ટાચાર થયો છે? શું તમે જાણો છો કે રાજકોટમાં તમામ ગાર્ડન, આજીડેમ, ન્યારીડેમ સહિતના ફરવાના સ્થળે ફ્રીમાં વાઈફાઇ મળે છે. રાજકોટ મનપા દ્વારા શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે ઠેરઠેર વાઇફાઇ નાખવામાં આવ્યા છે. હવે આજ વાઇફાઇ મામલે મનપાના કોંગ્રેસના કોર્પોરેટરે આક્ષેપ કર્યા છે કે મનપા દ્વારા નાખવામાં આવેલ વાઈફાઇમાં ભ્રષ્ટાચાર થયો છે. તો બીજી તરફ મનપાના શાસક પક્ષ દ્વારા કોંગ્રેસના કોર્પોરેટરએ કરેલ આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા હતા તેમજ જો વાઇફાઇમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું સાબિત કરી નહીં આપે તો રાજીનામું આપે તેવી માંગ કરતાં રાજકોટ મનપાનું રાજકારણ ગરમાયું છે.

બ્રેકિંગ ન્યૂઝ