રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજા'દાદા'નું ગુરુવારે 83 વર્ષની ઉંમરે નિધન થયું છે. આજે મનોહરસિંહના પાર્થિવદેહને અંતિમદર્શન માટે મુકવામાં આવ્યો હતો. રાજકોટવાસીઓ અને વિવિધ નેતાઓ માટે 10 વાગ્યા સુધી તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમની પાલખી યાત્રા યોજાઇ હતી.
#Rajkot માં રાજવી #ManoharsinhJadeja નુ નિધન રાજકોટવાસીઓ અને નેતાઓએ કર્યા અંતિમ દર્શન અંતિમ દર્શન બાદ મનોહરસિંહની અંતિમ યાત્રા નિકળી
અંતિમયાત્રા હજુર પેલેસથી રામનાથપરા સમશાનગૃહ પહોંચી સ્મશાનમાં 9 બંદૂકોની સલામી આપવામાં આવી અંતિમયાત્રામાં પોલીસના 20 ઘોડા અને બેન્ડ પણ જોડાઈ pic.twitter.com/D5cxrKcsZg
સ્મશાનગૃહમાં તેમને 9 બંદૂકની સલામી આપવામાં આવી હતી. તેમની સ્મશાન યાત્રામાં રાજકોટ પોલીસના 20 ઘોડા અને પોલીસ બેન્ડ પણ જોડાયા હતા. દાદાનું નિધન થતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વીટ કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
Saddened by the demise of former Gujarat Minister Shri Manoharsinh Jadeja Ji. Respected across party lines he made a mark as a dedicated legislator and good administrator. My thoughts are with his family and well wishers in this sad hour.
ઉલ્લેખનીય છે કે દાદાના હુલામણા નામથી જાણીતા રાજવી મનોહરસિંહજી જાડેજા 83 વર્ષની ઉંમર ધરાવતા હતા. તેઓ રાજકોટ બેઠકના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને કોંગ્રેસની સરકારમાં નાણામંત્રી અને આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે.
આપને જણાવી દઇએ કે મનોહરસિંહજી જાડેજા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. દાદાના લગ્ન 1949ની સાલમાં માનકુમારી દેવી સાથે થયા હતા. મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહ જાડેજાનો જન્મ 18 નવેમ્બર 1935ના રોજ રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે થયો હતો. મનોહરસિંહજી દાદાએ રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી રાજકુમાર કોલેજની અંદર અભ્યાસ કર્યો છે.
કોણ હતા મનોહરસિંહ જાડેજા?
મનોહરસિંહ જાડેજાનો જન્મ 18 નવેમ્બર 1935ના રોજ થયો હતો.
મનોહરસિંહનો જન્મ રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં થયો.
મનોહરસિંહે રાજકોટના રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો હતો.
1949માં મનોહરસિંહના લગ્ન માનકુમારી દેવી સાથે થયા હતા.
મનોહરસિંહને લોકો 'દાદા'ના હુલામણા નામથી ઓળખે છે.
મનોહરસિંહજીએ કોંગ્રેસ સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
મનોહરસિંહ 1967માં પ્રથમ વખત ધારાસભ્ય પદ પર ચૂંટાયા હતા.
1980થી 1985 અને 1990થી 1995 સુધી ધારાસભ્ય રહ્યા હતા.
કોંગ્રેસની સરકારમાં તેઓ નાણામંત્રી અને આરોગ્ય મંત્રી રહી ચુક્યા છે.
મનોહરસિહજીએ કોંગ્રેસમાં અનેક હોદ્દાઓ પર સેવા આપી હતી.
1998થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા હતા.