રાજકોટમાં થોડા સમય પહેલા કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 લોકોના મૃત્યું થયા હતા. જો કે હવે રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત મનપા હરકતમાં જોવા મળ્યું છે. મનપા કમિશનરે શહેરની ખાનગી હોસ્પિટલોમાં ચેકિંગનો આદેશ આપ્યો છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત મનપા તંત્ર હરકતમાં
ખાનગી હોસ્પિટલોમાં ચેકિંગ માટે મનપા કમિશનરનો આદેશ
ફાયર સેફ્ટીની પૂરતી સુવિધા તાકીદે કરવા સૂચના
રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત મનપા તંત્ર હરકતમાં જોવા મળ્યું છે. મનપા કમિશ્નરે શહેરની 19 ખાનગી હોસ્પિટલોમાં ચેકિંગનો આદેશ આપ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની પુરતી સુવિધાઓ તાકીદે કરવા સુચના આપવામાં આવી છે.
સુરત મનપા કમિશ્નરે ખાનગી હોસ્પિટલોમાં ઉપકરણો તપાસવા તેમજ પુરતી સુવિધા તાકીદે કરવા સુચના આપી છે. આ ઉપરાંત ઇલેકટ્રીક ઉપકરણો-વાયરિંગની પણ તપાસ કરવામાં આવશે.
ખાનગી હોસ્પિટલોએ ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ તાત્કાલિક સુરત પાલિકામાં જમા કરાવવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે કોવિડ માટે પાલિકાએ શહેરની હોસ્પિટલો સાથે MoU કર્યાં છે.