રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેરાત કરવામાં આવી છે. સરકારની આ જાહેરાતથી રાજકોટનાં 1 લાખ 89 હજાર ખેડૂતોને લાભ મળશે. જિલ્લાનાં 1 લાખ 89 હજાર ખેડૂતોને 6 હજાર રૂપિયાની સહાય મળશે. આ યોજનાનો ખેડૂતોને લાભ મળે તે માટે ટૂંક સમયમાં કલેકટર દ્વારા નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
મહત્વનું છે કે સરકાર દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટમાં સરકાર દ્વારા 2 હેકટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને લાભ આપવાની જાહેરાત આપવામાં આવી છે. ખેડૂતોને કુલ 6 હજાર રૂપિયા આપવાની જાહેરાત આપવામાં આવી છે. ખેડૂતોને દર 3 મહીને 2 હજાર ચૂકવવામાં આવશે. સરકારની જાહેરાત કરવા માટે ખેડૂતોએ બેંક ખાતાની વિગત અને જમીનની વિગત સાથેની અરજી કરવી પડશે.
ઉલ્લેખનીય છે કે કાર્યકારી નાણામંત્રી પીયૂષ ગોયલે અંદાજપત્ર રજૂ કરતાં ખેડૂતોને મોટી લ્હાણી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે 'ખેત ઉત્પાદનની MSP નક્કી કરી દેવામાં આવી છે. આ સાથે હવે 2 હેક્ટરથી ઓછી જમીનવાળાને 6 હજાર પ્રતિ વર્ષ અપાશે. આ રકમ ખેડૂતોનાં ખાતામાં સીધી જ જમા કરવામાં આવશે.'
મહત્વનું છે કે બજેટમાં ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી છે. ખેડૂતો માટે બજેટમાં સારા સમાચાર સામે આવ્યાં છે. કાર્યકારી નાણામંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે '6 હજાર રૂપિયા ખેડૂતોનાં સીધાં જ ખાતામાં જમા થશે. આ માટે સરકાર 75 હજાર કરોડ રૂપિયા ભોગવશે. પ્રથમ તબક્કા માટે નાણાં સૂચી જલ્દી બનાવવામાં આવશે. જે અંતર્ગત પહેલો હપ્તો રૂપિયા 2 હજારનો ખેડૂતોને આપવામાં આવશે.
#PMKSY નામે યોજના શરૂ કરી નાના ખેડૂતોને આ યોજનાથી ફાયદો થશે ખેડૂતો માટે કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત 2 હેક્ટર જમીન ધરાવતા લોકોને સીધા નાણાં અપાશે પ્રતિ વર્ષ 6 હજાર કરોડ ખેડૂતોને અપાશે ખેડૂતોની આવક નિર્ધારિત કરવા સરકાર આપશે આર્થિક સહાયઃ #PiyushGoyal #BudgetWithVtvNewspic.twitter.com/YHGDMdpSEw