રાજકોટ (rajkot) જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે. જિલ્લાના સિંચાઇ માટેના ડેમો ભારે વરસાદ (rain) બાદ છલકાઇ ગયા છે. ન્યારી 2 અને આજી-2 ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમો છલકાઇ જતા પડધરી તાલુકામાં ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાઇ ગયો છે.
રાજકોટ (rajkot) જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે. જિલ્લાના સિંચાઇ માટેના ડેમો ભારે વરસાદ (rain) બાદ છલકાઇ ગયા છે. ન્યારી 2 અને આજી-2 ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમો છલકાઇ જતા પડધરી તાલુકામાં ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાઇ ગયો છે. ત્યારે મહત્વનું છે કે રાજકોટમાં ભારે વરસાદના કારણે 48 કલાક બાદ પણ હજુ સિવિલ હોસ્પિટલમાંથી પાણી નથી ઓસર્યા. હજુ સુધી હોસ્પિટલમાં 5 ફૂટ પાણી ભરાઇ ગયા છે.
સિવિલ હોસ્પિટલના સેલરમાં આવેલી લેબમાં પાણી ભરાતા દર્દીઓ પરેશાન થઇ ગયા છે. ત્યારે હોસ્પિટલમાં પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાથી સવાલો ઉઠી રહ્યાં છે. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલું OPD પાણીમાં ગરકાવ થઇ ગયું છે અને મીટર રૂમમાં પણ પાણી ભરાવાના કારણે મોટી દુર્ઘટના થાય તેવી શક્યતા પણ છે. રાજકોટમાં 48 કલાક વીત્યા બાદ પણ હજુ સુધી પાણીનો નિકાલ નથી થયો.
રાજકોટમાં થોડો વરસાદ થતા જ અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાનો નાગરિકોને સામનો કરવાનો વારો આવે છે. ત્યારે હવે પાણીના નિકાલનો મહાનગરપાલિકાએ ઉકેલ શોધી કાઢ્યો છે. રાજકોટ મનપા બે ટીપી સ્કીમમાં ફેરફાર કરીને દાખલો બેસાડશે. કમિશનરે એન્જીનિયરને સાથે રાખેની વિસ્તારમાં મુલાકાત કરીને પાણીના નિકાલનો રસ્તો શોધ્યો છે. શહેરનાં રેલનગર અંડરબ્રિજ અને પોપટરાના નાળામાં પાણીના પંપ મુકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હજી એક દિવસ પહેલા જ રાજકોટમાં રાજ્યના વડોદરામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજકોટમાં ભારે વરસાદ વરસ્યો હતો. શહેરમાં 24 કલાકમાં જ 8 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. છેલ્લાં 5 કલાકમાં જ 6 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેને લઇને અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતાં. ત્યારે પડેલા ભારે વરસાદને પગલે સિંચાઇ માટેના ડેમો ભારે વરસાદ બાદ છલકાઇ ગયા છે.