રાજકોટમાં યોજનારા ખેડૂત સંમેલનને દિલ્હીમાં જોવા મળેલી હિંસાના પગલે મંજૂરી રદ્દ કરવામાં આવી છે. જેને લઇને ખેડૂતસભા મોકૂફ રાખવામાં આવી છે.
રાજકોટમાં યોજાવાનું હતું ખેડૂત સંમેલન
દિલ્હીમાં અઘટિત ઘટનાને લઇ મંજૂરી રદ
મંજૂરી રદ થતા ખેડૂતસભા મોકૂફ રખાઇ
26 જાન્યુઆરીના રોજ ખેડૂતો દ્વારા નિકાળવામાં આવેલ ટ્રેકટર રેલી દરમિયાન થયેલ હિંસાના પગલે આજરોજ રાજકોટ ખાતે યોજનારા ખેડૂત સંમેલનની મંજૂરીને રદ્દ કરવામાં આવી છે.
આમ દિલ્હીની હિંસાના પગલે રાજકોટ ખાતેનું ખેડૂત સંમેલન રદ્દ કરાયું છે. દિલ્હીમાં અઘટિત ઘટનાને લઇને મંજૂરી રદ થતા ખેડૂતસભા મોકૂફ રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ખેડૂત સંઘર્ષ સમિતિને સંમેલનને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા સંમેલન યોજાવાનું હતું. જો કે દિલ્હીની પરિસ્થિતિને જોતા પોલીસે મંજૂરી આપી નથી.
રાજકોટ ખાતે ખેડૂત સંમેલનને લઇને બે દિવસથી મંજૂરી આપવા અંગે વિચારણા ચાલતી હતી. પોલીસ દ્વારા અગાઉ 22 તારીખે મંજૂરી આપી હતી. જો કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા 27 તારીખની મંજૂરી માગી હતી.
જો કે ત્યારબાદ ખેડૂત સંઘર્ષ સમિતિને 27 જાન્યુઆરીએ દિલ્હીના ખેડૂત આંદોલનના સમર્થનમાં યોજાનાર સંમેલનને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવીહતી. જો કે પોલીસે કોવિડ-19ના નિયમોને આધીન રહીને સંમેલન યોજવા મંજૂરી આપી હતી.