રાજકોટમાં ખેડૂતોના આંદોલનનો અંત આવ્યો છે. ચોથા દિવસે ખેડૂતોએ પારણા કર્યા છે. લેખીતમાં ખાતરી મળતા ખેડૂતોના ઉપવાસનો અંત આવ્યો છે.. જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખિયાએ ખેડૂતોને લેખિતમાં ખાતરી આપી છે.
મહત્વનુ છે કે, છેલ્લા ઘણા સમયથી પાક વીમા મુદ્દે વિરોધ કરી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી કિસાન સંઘના સભ્યો વિરોધ કરી રહ્યા હતા. ચોથા દિવસે ખેડૂતોએ હવન કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સરકાર દ્વારા લેખિતમાં ખાતરી આપતા ખેડૂતોએ પારણા કર્યા છે.
તમને જણાવીએ કે, રાજકોટમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી પાક વીમા મુદ્દે વિરોધ કરી રહ્યા હતા. છેલ્લા 4 દિવસથી કિસાન સંઘના સભ્યો વિરોધ કરી રહ્યા હતા. જ્યારે આજે ચોથા દિવસે આંદોલનનો અંત આવ્યો છે.
પ્રથમ દિવસે કિસાન સંઘના સભ્યોએ રેલી કાઢીને વિરોધ કર્યો હતો અને કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવ્યુ હતુ. ત્યારબાદથી તેઓ આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. બીજા દિવસે ખેડૂતોએ ખીચડી બનાવીને વિરોધ કર્યો હતો. ત્યાર બાદ ત્રીજા દિવસે ખેડૂતોએ ઢોલ નગાડા અને જાલર વગાડીને વિરોધ કર્યો હતો. તો આજે ખેડૂતોએ હવન કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.