રાજકોટ: આગામી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે અને હાલમાં બન્ને પાર્ટીઓ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને રાજકોટ બેઠકના ઉમેદવાર માટે ગુંચવાયા છે.
બન્ને પક્ષોમાં કોને ટિકિટ આપવામાં આવે તે માટે મુંજવણ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ ભાજપ અને કોંગ્રેસ દ્વારા રાજકોટ બેઠક જીતવા માટે પાટીદાર આગેવાનને ટિકિટ આપવામાં આવી શકે છે. જો બન્ને પાર્ટીઓ પાટીદાર આગેવાનને ટિકિટ આપે તો રાજકોટ બેઠક પરથી પાટીદાર ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળી શકે છે.
રાજકોટ બેઠક પર કડવા સામે લેઉવા પાટીદાર ઉમેદવારો વચ્ચે જંગ થઈ શકે છે.મળતી માહિતી મુજબ ભાજપ દ્વારા વર્તમાન સાંસદ મોહન કુંડારિયાને ફરી એક વખત ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે.
જ્યારે કોંગ્રેસ દ્વારા લેઉવા પટેલના આગેવાન હિતેશ વોરાને ટિકિટ મળી શકે છે. મોહન કુંડારિયા કડવા પાટીદાર સમાજના આગેવાન છે. આ સાથે જ લેઉવા પાટીદાર આગેવાન ધનસુખ ભંડેરીને ટિકિટ મળે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, તેમની સામે કોંગ્રેસ કડવા પાટીદાર લલિત કગથરાને ટિકિટ આપી શકે છે. બન્ને પક્ષો દ્વારા લેઉવા અને કડવા પાટીદારોને ટિકિટ આપી શકે છે. બન્ને પક્ષો દ્વારા કોને ટિકિટ આપવામાં આવે તે આગામી દિવસોમાં જોવાનુ રહેશે.