દેશમાં આજથી લોકડાઉન-4 દરમિયાન ડોમેસ્ટિક ફલાઇટની સેવા ચાલુ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી પણ વિવિધ શહેરોમાંથી ડોમેસ્ટિક ફલાઇટ શરૂ કરવામાં આવી છે. જો કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન સમાન રાજકોટ શહેરમાંથી જ ડોમેસ્ટિક ફલાઇટની મંજૂરી ન અપાતાં રાજકોટ ચેમ્બર ઓફ કૉમર્સ દ્વારા ઉડ્ડિયન મંત્રીને પત્ર લખી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
રાજકોટમાં વિમાન સેવા શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સની માંગ
એકપણ ફ્લાઈટને મંજુરી ન આપતા પત્ર દ્વારા કરી રજુઆત
રાજકોટને ફ્લાઇટ ન આપતા સૌરાષ્ટ્રના ઉધોગ વેપારને અસર
ગુજરાતમાંના શહેરોમાંથી દેશના અન્ય રાજ્યોના શહેરો સુધી આજથી ડોમેસ્ટિક ફલાઇટ શરૂ કરવામાં આવી. જો કે રાજકોટમાંથી એકપણ ફલાટિને મંજૂરી ન મળી હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટમાં વિમાન સેવા શરૂ કરવાને લઇને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માંગ કરવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાંથી જ ડોમેસ્ટિક ફલાઇટ શરૂ ન થતાં શહેરના ચેમ્બર ઓફ કોમર્સનો ઉડ્ડિયન મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં કોરોનાના સૌથી ઓછા કેસ હોવા છતાં ફલાઇટ શરૂ કરવામાં ન આવી હોવાનો ઉલ્લેખ કરતો પત્ર ચેમ્બર ઓફ કૉમર્સ દ્વારા ઉડ્ડિયન મંત્રીને લખવામાં આવ્યો છે.
શહેરના ચેમ્બર્સ ઓફ કૉમર્સે પત્રમાં જણાવ્યું છે કે રાજકોટમાં ફલાઇટ ન આપતાં સૌરાષ્ટ્રના ઉદ્યોગ-વેપાર પર તેની અસર જોવા મળશે. સૌરાષ્ટ્રના લોકો રાજકોટથી દેશ અને વિદેશમાં જાય છે.