રાજકોટ જિલ્લા પંચાયતના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના હસ્તક રહેલી જિલ્લા પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. જેમાં કોંગ્રેસના સભ્યો દ્વારા કારોબારી અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદ માટે ચૂંટણી
કોંગ્રેસના હસ્તક જિલ્લા પંચાયતમાં ચાલતો હતો વિવાદ
કોંગી સભ્યોએ કરી હતી કારોબારી અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત
રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદ માટે કોંગ્રેસના હસ્તક જિલ્લા પંચાયતમાં વિવાદ ચાલતો હતો. ત્યારે કોંગ્રેસના સભ્યોએ કારોબારી અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. આ અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવતાં કારોબારી અધ્યક્ષે રાજીનામુ આપ્યું છે.
આમ કારોબારી અધ્યક્ષને લઈ આજે નિણર્ય લેવાશે. જેમાં કે.પી.પદરિયાએ કારોબારી અધ્યક્ષ પદ માટે દાવેદારી નોધાવી છે. જો કે પદરિયા સામે ACBમાં ચાલતા કેસને લઈ અધ્યક્ષ નહી બની શકે. જ્યારે બીજી તરફ ચંદુભાઈ શીંગાળાને દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા પંચાયત માટે અગાઉ પણ ભાજપ અને કોંગ્રેસ આમનેસામને જોવા મળ્યાં હતા. અગાઉ કોંગ્રેસના 12 બાગી સભ્યો ભાજપમાં જોડાયા હતા. જેને લઇને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.