આજકાલ ગુનેગારો જેલમાંથી પણ પોતાનું નેટવર્ક અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા થઈ ગયા છે ત્યારે આવો જ એક કિસ્સો આવ્યો છે રાજકોટ જિલ્લાની ધોરાજી સબ જેલમાંથી સામે આવ્યો છે. કે જ્યાં ગુનેગારોનું નેટવર્ક ચાલતું હતું. ત્યારે શું છે સમગ્ર મામલો ?
ધોરાજી સબ જેલમાંથી ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા હતા
વસ્તુઓની હેરાફેરી કરવા માટે પીવાના પાણીના જગનો ઉપયોગ કરતા હતા
આરોપી પોલીસને પણ ડરાવતો અને આ ડરાવવા માટે તે ત્યાં પડેલા લાદીના કટકાથી પોતાને ઇજા પહોંચાડતો
ગોંડલ સ્ટેટના મહારાજા સર ભગવતસિંહજી મહારાજનું જન્મસ્થળ ધોરાજી શહેર. આ ધોરાજી શહેરમાં આવેલ સબ જેલમાંથી ગુનાહિત પ્રવૃત્તિનું નેટવર્ક ચાલતું હતું અને થતી હતી પ્રોહિબિશન વસ્તુઓની હેરાફેરી. ધોરાજી સબ જેલમાં સજા ભોગવી રહેલ ત્રણ આરોપીઓ જેલની અંદરથી પોતાનું નેટવર્ક ચલાવતા હતા અને આ નેટવર્ક ચલાવવા માટે તે વસ્તુઓની હેરાફેરી કરવા માટે પીવાના પાણીના જગનો ઉપયોગ કરતા હતા. ગુનાહિત પ્રવૃત્તિઓની જાણ થતાં જેતપુર નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ધોરાજી પોલીસ અને રાજકોટ ગ્રામ્ય SOG આમ તમામને સાથે રાખી અને તપાસ હાથ ધરી હતી. આ ઓપરેશન કરતા ત્રણ આરોપીઓ પાસેથી બે મોબાઇલ, બે ચાર્જર, માચીસ, તમાકુના બનાવટની વસ્તુઓ જેમકે બીડી, તમાકુની પડીકીઓ તેમજ માવાઓના પાર્સલ મળી આવ્યા હતા.
આરોપી પોલીસને પણ ડરાવતો અને આ ડરાવવા માટે તે ત્યાં પડેલા લાદીના કટકાથી પોતાને ઇજા પહોંચાડતો
પકડાયેલા આરોપીઓમાં વિપુલ ઉર્ફે પુનિત ઉર્ફે જોન્ટી રવજીભાઈ બગડા પોલીસને પણ ડરાવતો હતો. આ ડરાવવા માટે તે ત્યાં પડેલા લાદીના કટકાથી પોતાને ઇજા પહોંચાડતો હતો. જેથી પોલીસ ડરી જાય પરંતુ પોલીસ આવી પ્રવૃત્તિઓથી ડરી નહીં. જોન્ટી રવજીભાઈ બગડા, નવનીતભાઈ પ્રહલાદભાઈ ચલ્લા, સલીમ ઉમરભાઈ સાંઘ ઉર્ફે અલી શરીફભાઈ સાંઘ આ ત્રણેય આરોપીઓ જેલમાંથી પણ પોતાનું નેટવર્ક ચલાવતા હતા. તેમજ બહારના વ્યક્તિઓ સાથે મોબાઈલ મારફત વાતચીત કરી હતી. પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓનું નેટવર્ક પણ ચલાવતા હતા.
આ સાથે જેતપુર નાયબ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા એવું પણ જણાવાયું છે એ આ ગુનાહિત પ્રવૃત્તિઓમાં હજુ પણ વધુ તપાસ ચાલુ છે, આમાં જે કોઈની બેદરકારી અને સંડોવણી હોવાનું સામે આવશે તેમના વિરુદ્ધ ખાતાકીય પગલાં પણ લેવામાં આવશે.