છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્સટર્નલ કોલેજની ડિગ્રી અમાન્ય હોવા મામલે વિવાદ ચાલી રહ્યો છે . ત્યારે યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેતાણીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
નીતિન પેતાણીએ કહ્યું છે કે ડિગ્રી અમાન્ય હોવાની વાત ખોટી છે. હાલમાં UGCના નવા નિયમ મુજબ મંજૂરી લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. આમ છેલ્લા ઘણા સમયથી ડિગ્રી અમાન્યનો વિવાદ ચાલી રહ્યો હોય તેના પર કુલપતિ નીતિન પેતાણીના નિવેદન બાદ અંત આવ્યો છે.
આ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઘોર બેદરકારી સામે આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સટર્નલ કોર્સ કરનાર 2.80 લાખ વિદ્યાર્થીઓની ડીગ્રી અમાન્ય કરી દીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા.
યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ અભ્યાસ ક્રમ અંગે કોઇ મંજૂરી નથી લેવાઇ જેના કારણે 2.80 લાખ વિદ્યાર્થીઓની ડીગ્રી અમાન્ય કરી દેવાઇ છે. 2018માં MHRDએ પરિપત્ર લખી મંજૂરી લેવા આદેશ કર્યો હતો.
જો કે હજુ સુધી પાટણ, ભાવનગર, વિદ્યાનગર યુનિવર્સિટીએ મંજૂરી લીધી નથી. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ એક્સ્ટર્નલ કોર્સની મંજૂરી લીધી નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લઇને અમાન્ય ડિગ્રિનો વિવાદ સામે આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓના ભવિષ્યનું જોખમ જોવા મળ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઘોર બેદરકારી સામે આવી હતી.
જેમાં 2012થી એક્સ્ટર્નલ કોર્ષ કરી રહેલા 2.80 લાખ વિદ્યાર્થીઓની ડીગ્રી અમાન્ય હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. આમ યુનિવર્સિટીના સત્તાવાહકોના વાંકે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
માં યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ અભ્યાસક્રમને લઇને મંજૂરી લીધી નહી હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇને કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલયે 2017માં કાયદો બનાવ્યો હતો.
જેમાં 2018માં MHRDએ પરિપત્ર લખીને મંજૂરી લેવા આદેશ કર્યો હતો. જો કે એક્સટર્નલ કોર્ષ માટે કોઇએ મંજૂરી લીધી ન હતી. આમ, યુનિવર્સિટીના સત્તાધીશોની બેદરકારીને લઇને 2.80 લાખ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં જોવા મળી રહ્યું છે.