ગુજરાતમાં કોરોનાકાળમાં કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને સવાલ પૂછ્યા હતા અને વિગતવાર જવાબ રજૂ કરવા આદેશ પણ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાજકોટ કોવિડ હોસ્પિટલ અગ્રિકાંડ મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી. ત્યારે સૂત્રોને મળતી માહિતી મુજબ રાજકોટની કોવિડ હોસ્પિટલમાં અગ્રિકાંડના તપાસ રિપોર્ટમાં હોસ્પિટલને ક્લીનચીટ આપવામાં આવ્યું હોવાની જાણકારી મળી છે.
તપાસ ટીમે તૈયાર કરેલા રિપો્રટમાં હોસ્પિટલને ક્લીનચીટ: સૂત્ર
આગની ઘટના આકસ્મિક હોવાનું રિપોર્ટમાં: સૂત્ર
સૂત્રોને મળતી માહિતી મુજબ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્રિકાંડ મામલે તપાસ ટીમે તૈયાર કરેલા રિપોર્ટમાં હોસ્પિટલને ક્લીનચીટ આપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે આગની ઘટના આકસ્મિક છે.
એક મળતા અહેવાલ મુજબ તપાસ રિપોર્ટમાં આગની ઘટનામાં કોઇ માનવસર્જિત ભૂલ ન હોવાનું તારણ નિકાળવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ પોલીસ તપાસમાં હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી. જેમાં પોલીસે હોસ્પિટલના 5 સંચાલકોની ધરપકડ કરી હતી.
કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટીને લઇને સુપ્રીમ કોર્ટે રાજકોટના અગ્નિકાંડ મુદ્દે ફરી ગુજરાત સરકારને આડે હાથ લીધી છે. સુપ્રીમ કોર્ટે સોલિટીર જનરલને ખખડાવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકારને કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટી મુદ્દે વિગતવાર જવાબ આપવા આદેશ કર્યો છે.
કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ છે. સુપ્રીમે રાજકોટઅગ્નિકાંડ મામલાને ધ્યાન પર લીધો છે. સુપ્રીમે ગુજરાત સરકારને સવાલ કરતાં પૂછ્યું છે કે સરકારે કેવા પ્રકારના પગલાઓ લીધા છે?, ગુજરાત સરકાર વિગતવાર જવાબ રજૂ કરે. રાજકોટઅગ્નિકાંડ મુદ્દિ કમિટી તપાસ કરી રહી છે. ઘટના મુદ્દે વિસ્તારથી માહિતી નથી તો કમિટી તપાસ કેમ કરશે?
ઉલ્લેખનીય છે રાજકોટઅગ્નિકાંડ પર સુપ્રીમ કોર્ટ દ્વારા સુઓમોટોના મામલે મહત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું છે કે અમદાવાદ અગ્નિકાંડની તપાસ કરનાર જ રાજકોટ અગ્નિકાંડની તપાસ કરે.
રાજકોટ અગ્નિકાંડની તપાસ પૂર્વ જજ ડી એ મહેતા કરી રહ્યાં છે. અમદાવાદ-રાજકોટ બંને ઘટનાની તપાસ જસ્ટિસ મહેતાને સોંપો. સુપ્રીમે રાજ્ય સરકારને સવાલ કરતા પૂછ્યું કે સરકારે કેવા પ્રકારના પગલાઓ લીધા છે? આ અંગે વિગતવાર જવાબ રજૂ કરે.
સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે ઘટનાની વિગતવાર જાણ નથી તે સમિતિ કેવી તપાસ કરશે?, નિવૃત્ત જ્જની અધ્યક્ષતામાં આ ત્રીજી સમિતિનું ગઠન થયું છે. ત્રણ દિવસમાં તપાસ સમિતિના ડેટા સાથે સોગંદનામું રજૂ કરો. આ અંગે સોમવારના રોજ આગામી સુનાવણી હાથ ધરાશે.
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
જો કે હોસ્પિટલ પાસે ફાયર સેફટી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે સ્ટાફને ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરતા આવડતો ન હોવાનો પણ ખુલાસો થયો હતો. હોસ્પિટલમાં બારીના કાચ તોડીને વેન્ટિલેશન માટે પ્રયાસ કરાયા છે ત્યારે વેન્ટિલેશન વ્યવસ્થા સામે પણ સવાલ થયા હતા.
રાજકોટ હોસ્પિટલ દૂર્ઘટના મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યં હતું. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો સાંત્વના પાઠવી હતી. જ્યારે મુખ્યમંત્રી વિજય રુપાણી આ દૂર્ઘટનાને લઇને તપાસના આદેશ આપ્યાં હતા.