કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ છે. સુપ્રીમે રાજકોટ અગ્નિકાંડ મામલાને ધ્યાન પર લીધો છે. સુપ્રીમે ગુજરાત સરકારને સવાલ કરતાં પૂછ્યું છે કે સરકારે કેવા પ્રકારના પગલાઓ લીધા છે?, ગુજરાત સરકાર વિગતવાર જવાબ રજૂ કરે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દિ કમિટી તપાસ કરી રહી છે. ઘટના મુદ્દે વિસ્તારથી માહિતી નથી તો કમિટી તપાસ કેમ કરશે?
ઉલ્લેખનીય છે રાજકોટ અગ્નિકાંડ પર સુપ્રીમ કોર્ટ દ્વારા સુઓમોટોના મામલે મહત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું છે કે અમદાવાદ અગ્નિકાંડની તપાસ કરનાર જ રાજકોટ અગ્નિકાંડની તપાસ કરે.
રાજકોટ અગ્નિકાંડની તપાસ પૂર્વ જજ ડી એ મહેતા કરી રહ્યાં છે. અમદાવાદ-રાજકોટ બંને ઘટનાની તપાસ જસ્ટિસ મહેતાને સોંપો. સુપ્રીમે રાજ્ય સરકારને સવાલ કરતા પૂછ્યું કે સરકારે કેવા પ્રકારના પગલાઓ લીધા છે? આ અંગે વિગતવાર જવાબ રજૂ કરે.
સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે ઘટનાની વિગતવાર જાણ નથી તે સમિતિ કેવી તપાસ કરશે?, નિવૃત્ત જ્જની અધ્યક્ષતામાં આ ત્રીજી સમિતિનું ગઠન થયું છે. ત્રણ દિવસમાં તપાસ સમિતિના ડેટા સાથે સોગંદનામું રજૂ કરો. આ અંગે સોમવારના રોજ આગામી સુનાવણી હાથ ધરાશે.
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
જો કે હોસ્પિટલ પાસે ફાયર સેફટી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે સ્ટાફને ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરતા આવડતો ન હોવાનો પણ ખુલાસો થયો હતો. હોસ્પિટલમાં બારીના કાચ તોડીને વેન્ટિલેશન માટે પ્રયાસ કરાયા છે ત્યારે વેન્ટિલેશન વ્યવસ્થા સામે પણ સવાલ થયા હતા.
રાજકોટ હોસ્પિટલ દૂર્ઘટના મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યં હતું. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો સાંત્વના પાઠવી હતી. જ્યારે મુખ્યમંત્રી વિજય રુપાણી આ દૂર્ઘટનાને લઇને તપાસના આદેશ આપ્યાં હતા.
આ અગાઉ જસ્ટિસ એમ.આર.શાહે કહ્યું હતું કે રાજકોટની આગની ઘટના ખૂબ જ ગંભીર
આ અગાઉ પ રાજકોટની આ ઘટનાના પડઘા સર્વોચ્ચ અદાલતમાં પણ પડ્યા હતા. સર્વોચ્ચ અદાલતે રાજકોટની આ ઘટનાને સુઓમોટો તરીકે લીધી અને સરકારને ખખડાવીને જવાબ માંગ્યા હતા. જસ્ટિસ ભુષણે પૂછ્યું હતું કે આગ બુઝાવવા માટે હોસ્પિટલમાં કેમ કોઈ વ્યવસ્થા નથી? કોર્ટે એમ પણ કહ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં કોરોના વાયરસ મુદ્દે સુનાવણી થઇ રહી છે અને એવામાં જ્યારે ગુજરાતની હોસ્પિટલો કોરોના અને આગથી પણ દર્દીઓને બચાવી નથી શકતી ત્યારે કોર્ટે રૂપાણી સરકારનો ઉધડો લેતા કહ્યું કે ગુજરાતમાં આ પહેલી ઘટના નથી એટલે ગુજરાત સરકાર જવાબ આપે. કોર્ટે કહ્યું કે ઘટનામાં જે લોકો જવાબદાર છે તેની ધરપકડ થવી જોઈએ.