ગઇકાલની રાત રાજકોટ માટે ગોઝારી સાબિત થઇ. શહેરના આનંદ બંગલા ચોક પાસે આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 દર્દીઓના મૃત્યું થયા જ્યારે અન્ય એક ઘાયલ થયા હતા. આ ઘટનાના પગલે CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે.
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ
33 લોકો કોરોનાગ્રસ્ત હતા જે સારવાર લઈ રહ્યા હતા
અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડાયા
આ પહેલાં ડોક્ટર અને સ્ટાફે દર્દીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બારીના કાચ તોડી વેન્ટિલેશન માટે પ્રયાસ કરાયા હતા. રાત્રે મેયર, પોલીસ અને મહાનગરપાલિકાના કમિશનર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગના પગલે હોસ્પિટલનો સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો.
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં 33 કોરોનાગ્રસ્ત લોકો સારવાર લઇ રહ્યાં હતા. જો કે હાલમાં અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
જો કે હોસ્પિટલ પાસે ફાયર સેફટી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે સ્ટાફને ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરતા આવડતો ન હોવાનો પણ ખુલાસો થયો છે. હોસ્પિટલમાં બારીના કાચ તોડીને વેન્ટિલેશન માટે પ્રયાસ કરાયા છે ત્યારે વેન્ટિલેશન વ્યવસ્થા સામે પણ સવાલ થાય છે.
VTV NEWSની તપાસમાં ગેરકાયદે બાંધકામ હોવાનું સામે આવ્યું
હોસ્પિટલમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું
ખાલી જગ્યામાં ફેબ્રિકેશનનું બાંધકામ કરી બેડ ગોઠવાયા
લોબીમાં પણ બેડ રાખી દેવામાં આવ્યા
લોબીમાં ગેસની ભરેલી બોટલ પડી હતી
હોસ્પિટલના બીજા માળે મશીનરીમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
ICU વોર્ડમાં 11 પૈકી 5 દર્દીને બચાવી લેવામાં આવ્યા જ્યારે 5 દર્દીના થયા છે મૃત્યુ
સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ ને આપવામાં આવી હતી મંજૂરી
ફાયરસેફટીના સાધનો અને ફાયર NOC સહિત તમામ જરૂરી દસ્તાવેજો હોવાનો હોસ્પિટલ સંચાલકનો દાવો