રાજકોટની ઉદય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે ધમણ વેન્ટિલેટર ફરી વિવાદમાં આવી છે. અગ્નિકાંડ મુદ્દે ગોકુલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. તેજસ કરમટાનું મોટું નિવેદન સામે આવ્યું છે. L&T અને ધમણ વચ્ચે સ્પાર્ક થતાં આગ લાગી હોવાની આશંકા છે. ICUમાં 3 કંપનીના વેન્ટિલેટર હતા.
L&T અને ધમણ વચ્ચે સ્પાર્ક થતા આગ લાગી હોવાની આશંકા
ઈલેક્ટ્રોનિક ગેજેટમાંથી આગ લાગી હતી
રાજકોટમાં આવેલી ઉદય કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 5 લોકોનાં મૃત્યું થયા હતા. ત્યારે તેને લઇને આજે ડો. તેજસ કરમટાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ડો. તેજસ કરમટાએ કહ્યું L&T અને ધમણ વચ્ચે સ્પાર્ક થતા આગ લાગી હોવાની આશંકા દેખાઇ રહી છે. હોસ્પિટલના ICUમાં 3 કંપનીના વેન્ટિલેટર હતા.
ડૉ. તેજસે કહ્યું કે L&T અને ધમણ વેન્ટિલેટર વચ્ચે સ્પાર્ક થયો હોવાનો અંદાજ છે. આગમાં સપડાયેલા 21 દર્દીઓની તબિયત સારી છે. હોસ્પિટલમાં બે દરવાજા હતા.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં હોસ્પિટલમાં આગની ઘટના બાદ તંત્ર સફાળું જાગેલું જોવા મળ્યું છે. આ મામલે સર્કિટ હાઉસ ખાતે તંત્ર દ્વારા પોલીસ-કલેકટરના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી. આ બેઠક માં ઉદય કોવિડ હોસ્પિટલના ડોકટર તેજસ કરમટા પણ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં SITના અધિકારી મનોહરસિંહ જાડેજા તેમજ ઉચ્ચ અધિકારી એ કે રાકેશ પણ ઉપસ્થિત રહ્યાં.
રાજકોટની ઉદય કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે SIT દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આજે સાંજ સુધીમાં FSL અને PGVCL રિપોર્ટ સામે આવે તેવી શક્યતા છે. FSL અને PGVCLના રિપોર્ટ બાદ આગનું કારણ સામે આવશે. કઇ કંપનીના વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ થયું તેની વિગત સામે આવશે.