કોરોનાએ ગુજરાતને બાનમાં લીધું હોય તેવા હાલ સર્જાયા છે. તેમાં પણ મહાનગરોની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. રાજકોટ શહેરમાં વાયરસે કહેર વરસાવ્યો છે.
કોરોના વાયરસનો કહેર યથાવત્
રાજકોટની હોસ્પિટલોમાં બેડ ફૂલ
1969માંથી 444 બેડ જ ખાલી
રાજકોટમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઇકાલે રાજકોટ શહેરમાં 283 કેસ અને ગ્રામ્યમાં 28 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ રાજકોટની હોસ્પિટલોમાં બેડ ફુલ થવા લાગ્યા છે. કુલ 1969 બેડમાંથી માત્ર 444 બેડ હાલ ખાલી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 590 માંથી 114 બેડ ખાલી છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં કુલ 888 માંથી માત્ર 65 બેડ ખાલી છે. કેન્સર હોસ્પિટલમાં 192 માંથી 64 બેડ ખાલી, ગોંડલ હોસ્પિટલમાં 55 માંથી 20 બેડ ખાલી, જસદણ હોસ્પિટલમાં 24 માંથી એકપણ બેડ ખાલી નહિ અને ધોરાજી હોસ્પિટલમાં 70 માંથી 30 બેડ ખાલી છે.
રાજકોટ મહાપાલિકાનો નિર્ણય
કોરોનાનો કહેર વધતા હવે રાજકોટની હોટલમાં પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે. નાની હોસ્પિટલ અને હોટલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.
રાજકોટમાં RT-PCR ટેસ્ટના મશીન હાંફ્યા
રાજકોટથી કોરોના ટેસ્ટિંગને લઈને ગંભીર સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં RT-PCR ટેસ્ટના મશીન હાંફ્યા છે. 3 હજાર ટેસ્ટિંગ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. રાજકોટની 8 લેબોરેટરીમાં 72 કલાક સુધી વેઇટિંગ છે. કોરોનાનાં વધતા કેસોને તંત્રની કામગીરી કથળી છે. રિપોર્ટ આવતા પહેલા જ અનેક લોકો દર્દીઓના સંપર્કમાં આવતા સંક્રમણ વધવાનો ડર છે. RT-PCRના બદલે એન્ટીજન ઉપયોગ કરવા તબીબોને સલાહ અપાઇ છે.
તો બીજી તરફ રેમેસિવિર ઇન્જેક્શનની માંગ વધતા અછત પણ વર્તાઇ રહી છે. તો મેડિકલ સ્ટોર ધારકો પાસે 80થી 90 દર્દીઓને ઇન્જેક્શનની જરૂરત હોવાના સમાચાર છે. ત્રણ હજાર ઇન્જેક્શન હોય તો જ પુરા પડે તેમ છે. કેમિસ્ટ એસોસિયેશનના અગ્રણી અનિમેષ દેસાઇએ ગઇકાલે જણાવ્યું હતું કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રેમડેસિવિરનો જથ્થો પુરો થયો છે. આજે બપોર બાદ અથવા આવતીકાલે જથ્થો આવે તેવી શક્યતા છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3160 કેસ નોંધાયા છે અને 2028 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,00,765 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 15 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4581 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.
#GujaratCoronaUpdate#COVID19Dashboard
3160 New cases
2028 Discharged
15 Deaths reported
16252 Active Cases,167 on ventilator
67,62,638 People recieved 1st dose,
8,10,126 Got 2nd dose of Covid Vaccine
2,73,041 people above 60 and 45-60 got first dose, 25,343 got 2nd dose today pic.twitter.com/RGgA8WG50D