રાજકોટના હંસરાજનગરમાં 16 મહિનાની માસૂમ બાળકીની માતા-પિતાએ હત્યા કરી છે. આ મામલે બાળકીના દાદાએ માતા-પિતા સામે ફરિયાદ કરી છે. પોલીસે માતા-પિતા સામે ફરિયાદ નોંધીને તપાસ હાથધરી છે. મકાનની લોનના હપ્તા ન ભરી શકતા 4 મહિનાની દીકરીની હત્યા કર્યા બાદ માતા-પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
દીકરીની ગળું દબાવી કરી હત્યા
ઉલ્લેખનીય છે કે, દીકરીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ દંપતિએ હાથની નસ કાપી હતી. હાથની નસ કાપ્યા બાદ દંપતિએ ઝેરી દવા ગટગટાવી હતી. ઝેરી દવા પીધા બાદ પણ મોત ન મળતા દંપતિએ કેરોસીન છાંટને આગ ચાંપી હતી. હાલમાં દંપતિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
એક પત્રમાં કર્યો ખુલાસો
મરનારે લખ્યું હતું કે, હું અને મારા પતિ જીવનથી કંટાળી ગયા થીએ. અમારા જીવનમાં આવતી રોજની પરીક્ષાઓથી લડી અને સંઘર્ષ કરી અમે કંટાળી ગયા છીએ. અમારા જીવનને બરબાદ કરવામાં આમારા પોતાના લોકોની સાથે અન્ય લોકોએ પણ પ્રયત્નો કર્યા છે. જ્યારથી અમે નવું મકાન લીધું ત્યારથી અમને પાછા પાડવામાં પ્રયત્ન કરવામાં આવ્યા છે. અમારા પ્રયજનો કે જેઓએ અમને આપઘાત કરવા મજબૂર કર્યા છે.