રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે જે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. તેને લઈને તપાસના આદેશો આપવામાં આવ્યા છે. ત્યારે આ મામલે DCP ઝોન-1 પ્રવીણ કુમાર મીણાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચના PSI પી.બી.જેબલીયાનુ નિવેદન લેવાયું હતું. મહત્વનું છે કે, હત્યાંના ગુનામાં સંડોવાયેલ અલ્તાફની ક્રાઈમબ્રાંચે મદદ કરી હતી અને ક્રાઈમ બ્રાંચે અલ્તાફ પાસેથી 95 લાખના તોડ કર્યોના થયા છે આક્ષેપો કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, અલ્તાફે હત્યા થયાના એક મહિના બાદ પોલીસે કાર કબ્જે કરી હતી. આમ હત્યા કરાયા બાદ ખરીદાયેલી કાર પોલીસે કબજે કરી હતી.મહત્વનું છે કે, પોલીસે કાર જપ્ત કરી તોડ કર્યાનો પણ આક્ષેપ લાગ્યો છે.
પુરાવા રૂપે ચોંકાવનારી 2 વીડિયો ક્લિપ કરી રજૂ
ઉલ્લેખનીય છે કે, સખીયા બંધુઓએ DGP વિકાસ સહાય સમક્ષ તોડકાંડના આક્ષેપના પુરાવા રૂપે ચોંકાવનારી 2 વીડિયો ક્લિપ રજૂ કર્યા હતાં. આ સાથે 3 જી ફેબ્રુઆરીએ ક્રાઈમ બ્રાંચમાં રૂા.4.45 લાખ નાણા પરત કર્યાનો વીડિયો ક્લિપના પુરાવા આપ્યાં હતાં આ સાથે તેઓએ ક્રાઇમબ્રાંચના PSI એમ.એમ.ઝાલા દ્વારા નાણાં અપાયાનો ધડાકો કર્યો હતો. તેમજ પરત આપેલા નાણાંની પાવન ન આપી હોવાનો દાવો પણ કર્યો હતો.