રાજકોટ શહેરમાં ફાયર NOC મુદ્દે તંત્ર દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં શહેરની કુલ 8 ખાનગી હોસ્પિટલમાં કોવિડ-19 દર્દીઓને દાખલ કરવાાં આવશે નહીં. હાલમાં દાખલ દર્દીઓને રજા અપાયા બાદ ફાયર સેફ્ટીના અભાવે હોસ્પિટલ સીલ કરવામાં આવશે.
રાજકોટમાં ફાયર NOC મુદ્દે મોટી કાર્યવાહી
8 ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ નહીં કરાય
દાખલ દર્દીઓને રજા અપાયા બાદ હોસ્પિટલ સીલ કરાશે
રાજકોટમાં ફાયર NOC મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરની 8 ખાનગી હોસ્પિટલમાં કોવિડ-19 દર્દીઓને દાખલ નહી કરવામાં આવી શકાય. હાલ જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેઓને રજા આપવામાં આવ્યા બાદ સીલ કરી દેવામાં આવશે.
પ્રાપ્ત મળતી માહિતી અનુસાર તંત્ર દ્વારા ફાયર NOCને લઇને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ફાયર સેફ્ટીના અભાવવાળી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કઇ-કઇ હોસ્પિટલ સામે તંત્ર દ્વારા કરાઇ કાર્યવાહી
રાજકોટમાં NOC મુદ્દે શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન, ડો. વિવેક જોષી હોસ્પિટલ, સન્માન મલ્ટિ સ્પેશિયાલિસ્ટ, નિહીત બેબી કેર, દેવ, સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલ, દશા શ્રીમાળી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેના મનપા દ્વારા જણાવામાં આવ્યું છે કે 3 દિવસ બાદ ફરીથી હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. શહેરની 305 હોસ્પિટલ પાસે હાલ ફાયર NOC નથી. તમામ હો્પિટલ સામે તબક્કાવાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે ગઇકાલે શહેરની આ 8 કોવિડ હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી હતી. ફાયર NOCને લઇને હોસ્પિટલ સામે લાલઆંખ કરી હતી.
આવતીકાલે PM મોદીના હસ્તે AIIMSનું ખાતમૂહુર્ત
રાજકોટમાં આવતીકાલે પીએમ મોદીના AIIMSનું ખાતમૂહુર્ત કરાશે.. PM મોદી વીડિયો કોન્ફરન્સથી કાર્યક્રમમાં જોડાશે. AIIMSના ખાતમૂહુર્તને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.. ખાતમૂહુર્તના સ્થળ પર ડોમ તૈયાર કરાયો છે. AIIMSના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં 200 લોકોને આમંત્રણ આફવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી અને DyCM નીતિન પટેલ કાર્યક્રમમાં હાજર રહશે. AIIMS શરૂ થવાથી 5 હજાર જેટલી જગ્યાઓ ભરાશે. ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.. તબીબી ક્ષેત્રે સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ રોજગારીનું સર્જન થશે. શૈક્ષણિક વિભાગ અને હોસ્પિટલમાં સ્ટાફની ભરતી કરાશે.