ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં કોરોનાનો મૃત્યુદરનો આંકડો સૌથી વધારે જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા એકતરફ કોરોનાનો મૃત્યુદર ઘટાડવાની કવાયત કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ મૃતદેહની અંતિમવિધિની ક્રિયા માટે પણ સ્મશાનગૃહમાં ભલામણ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ લાગી રહ્યાં છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર રાજકોટના મોટા મૌવા સ્મશાનમાં લાગવગ ચાલતી હોવાનો આક્ષેપ લાગ્યો છે. આમ કોરોના કહેર વચ્ચે સ્મશાન પણ લાગવગ કરવામાં આવી રહી હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.
શહેરના મોટા મૌવા સ્મશાનમાં કોરોના દર્દીનો મૃતદેહ એક તરફ પડી રહ્યો અને નો કોવિડ દર્દીની અંતિમવિધિ કરાવી દેવામાં આવી. જો કે આક્ષેપ લગાવામાં આવ્યો છે કે તેના માટે મનપાના કંટ્રોલરૂમમાંથી ભલામણનો ફોન આવ્યો હતો.
મનપામાંથી ભલામણનો ફોન આવતા સ્મશાનગૃહમાં અંતિમવિધિ માટે ત્રીજાનો વારો આગળ કરી પહેલો કરી દેવામાં આવ્યો. આમ સ્મશાનમાં આવેલા ડાઘૂઓએ મનપાની લાગવગ થતી હોવાની ફરિયાદ કરી.