રાજકોટ જિલ્લામાં સતત કોરોનાનો કેર વધી રહ્યો છે. આરોગ્ય અગ્રસચિવ જંયતિ રવિ પણ હાલ જિલ્લાની મુલાકાતે છે. જો કે જિલ્લામાં કોરોનાના હાહાકાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ કોરોના દર્દીઓના મૃત્યુમાં પણ વધારો થઇ રહ્યો છે. જોકે તંત્ર દ્વારા મૃત્યુના આંકડા છૂપાવવા પ્રયાસ થઇ રહ્યો છે.
રાજકોટમાં કોરોનાથી મૃત્યુના કેસમાં વધારો
તંત્ર દ્વારા મૃત્યુના આંકડા છૂપાવવા પ્રયાસ
સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોનો ઢગલો
રાજકોટમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. આ સાથે જ કોરોના દર્દીઓના મૃત્યુમાં પણ વધારો થઇ રહ્યો છે. જોકે તંત્ર દ્વારા મૃત્યુના આંકડા છૂપાવવા પ્રસાય થઇ રહ્યો છે.
સિવિલ હોસ્પિટલમાં કચરા અને ભંગારની લોબીમાં મૃતદેહોને હારબંધ ખડકી દેવામાં આવ્યા હતા. આ સાથે મૃતદેહો પર થેલા અને કોથળીઓ પણ મુકી દેવાઇ હતી. સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે.
અંતિમ સંસ્કાર માટે 24 કલાકથી પણ વધારેનું વેઇટિંગ ચાલી રહ્યું છે. કોરોના પ્રોટોકોલથી જુલાઇમાં 101 અંતિમ સંસ્કાર થયા જ્યારે ઓગસ્ટમાં 334ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે ગઇકાલે એક જ દિવસમાં 18ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.