રાજકોટ: જિલ્લા પંચાયતમાં નવા જૂનીના એંધાણ સર્જાવા જઈ રહ્યા હોય તેવું લાગે છે. કુલ 36માંથી માત્ર 2 જ સભ્યોનું સંખ્યાબળ ધરાવતું રાજકોટ જિલ્લા પંચાયતમાં રાજકીય ભૂકંપ સર્જવા સજ્જ થયું છે.
27 જુલાઈની સામાન્યસભામાં સમિતિઓની રચનામાં કોંગ્રેસ પાસેથી શાસન પડાવી લે તેવી તૈયારીઓ શરૂ થઈ છે. જિલ્લા પંચાયતના સભ્યોને રાજસ્થાન લઈ જવાતા કોંગ્રેસનું શાસન ડગમગી ગયું છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ભાજપ સામે ઝીક ઝીલનાર વર્તમાન બોડી અને તેના સુકાની અર્જૂનભાઈ ખાટરીયા માટે સામાન્ય સભામાં સત્તાઓ જાળવવી અઘરી પડે તેમ છે. બીજી તરફ સભ્યો ભૂગર્ભમાં જવાના મામલે અનેક ચર્ચાઓ થઇ રહી છે.
ભાજપે રૂપિયાની લાલચ આપી સભ્યોને ખરીધા હોવાની ચર્ચા છે. એક બે દિવસમાં નારાજ સભ્યો ભાજપમાં જોડાઈ તેવી શકયતાઓ છે.
છેલ્લા 24 કલાકથી 24 સભ્યોનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી અને કોંગ્રેસ સભ્યો ભૂગર્ભમાં નહીં ગયાનો દાવો કરી રહી છે. 27 જુલાઈએ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાશે. આ સામાન્ય સભામાં પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્તની શકયતા છે.
આપને જણાવી દઇએ કે 27 જુલાઈએ સામાન્ય સભા યોજાવાની છે. તે પૂર્વે તમામ સભ્યો ગાયબ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. સામાન્ય સભામાં પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ જિલ્લા પંચાયતના 24 સભ્યો રાજસ્થાનમાં હોવાના અહેવાલ છે.