રાજકોટના મહિકા ઠેબચડા ગામની સીમમામંથી ઘાયલ હાલતમાં તરછોડાયેલી બાળકીને ઇન્ફેકશન થયું હોવાનું સામે આવ્યું છે. આજે મુખ્યમંત્રી રૂપાણી બાળકીના ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યાં હતા અને બાળકી પ્રત્યે સંવંદના વ્યક્ત કરતા વિજય રૂપાણી બાળકી ઝડપથી સ્વસ્થ થઇ જાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
રાજકોટમાં નવજાત બાળકી મળવાનો મામલો
CM વિજય રૂપાણી નવજાત બાળકી તબિયત જાણવા પહોંચ્યા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાળકી પ્રત્યે વ્યક્ત કરી સંવેદના
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા મહિકા ઠેબચડા ગામની સીમમાંથી ઘાયલ હાલતમાં તરછોડાયેલી બાળકીના ખબરઅંતર પૂછવા મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ સંવેદન વ્યકતા કરતાં ઝડપથી સ્વસ્થ થઇ જાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી નવજાત બાળકીની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી રૂપાણીએ બાળકી પ્રત્યે સંવેદન વ્યકત કરી હતી.
રાજકોટ ખાતે બે દિવસ પહેલા મળેલી નવજાત બાળકીનું નામ પોલસ કમિશ્નરે 'અંબા' રાખ્યું હતું. આ અગાઉ અનાથ બાળકીને લઈને રાજકોટના કલેક્ટરે ચિંતા વ્યક્ત કરી હતી. શહેરના કલેક્ટર રેમ્યા મોહને હોસ્પિટલમાં બાળકીની મુલાકાત લીધી હતી અને બાળકીની વધુ સારી રીતે સારવાર કરવા આદેશ આપ્યા હતા.
રાજકોટના મહિકા અને ઠેબચડા ગામ વચ્ચેની સીમમાંથી બુધવારે મળી આવેલી નવજાત બાળકીનો FSLનો રિપોર્ટ આવી ગયો હતો. આ બાળકીના શરીર પર જોવા મળેલા નિશાન છરીના નહીં પણ શ્વાનના નખના હોવાનો FSLના પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસો થયો હતો.
26 ફેબ્રુઆરીએ મહિકા અને ઠેબચડા ગામ વચ્ચેની સીમમાં કૂતરૂ બાળકીને મોંમા પકડીને જતું હતું તે સમયગાળા દરમિયાનમાં વીસેક યુવકો ક્રિકેટ રમીને જઇ રહ્યા હતા ત્યારે બાળકીનો રડવાનો અવાજ સંભળાયો હતો અને નજર દોડાવી તો એક કૂતરું બાળકીને મોંમાં લઇને જઇ રહ્યું હતું. યુવકોએ પળનો પણ વિલંબ કર્યા વગર પથ્થરમારો કરતાં બાળકીને છોડીને કૂતરું નાસી ગયું હતું. બાળકીને તાકીદે રાજકોટ કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડી હતી.